________________
૨૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
72
રોનાર વધારે તેમ સારાં ! - આ વ્યવહાર રૂઢ છે. એ દુનિયાનો હોં, પણ એ ધર્મનો વ્યવહાર નહિ. એને ધર્મ કહેવાય ? રુવે તો વાંધો નહિ, એ પણ ધર્મ છે, એમ કહેવાય ? નહિ જ, પણ એમ જ કહેવાય કે રોવાથી પાપ લાગે અને કર્મબંધ થાય. રુવે શાથી ? સ્વાર્થ, દંભ, પ્રપંચ અને મોહથી ! કેટલાક સ્વાર્થથી રુવે, કેટલાક પ્રેમથી રુવે અને કેટલાકને રોવું પડે માટે ન છૂટકે રુવે, રડવું પણ ભારે થઈ પડે આંસુ આવે નહિ અને રોવું, આવું ઓઢી બેસે. એ બધી સ્ત્રીઓ વે જ છે એમ ન માનતા, રોવાનો સાદ પૂરે. ભાઈઓ તો ઘણાય હસતાયે આવે છે. શું કરે ? રોવું ક્યાંથી ? આ રોવાને, આ બધી ક્રિયાને વખાણાય તો દુનિયામાં દંભ-પ્રપંચ વધી જાય અને આત્માને કર્મબંધનો પાર જ ન રહે. આત્મઘાતક રૂઢિ કે રિવાજોને ખોટાં કહેતાં સંકોચાવું તે ધર્મબુદ્ધિનું લિલામ છે. અમુક માણસો અમુક સમયે અમુક ક્રિયા કરે છે, માટે તેને વાજબી કહેવી એનો અર્થ તો એ જ કે શ્રી જિનેશ્વરદેવના શાસનના કહેનારમાં સદ્ભાવ નથી.
છ ખંડના માલિક શ્રી સનતકુમાર ચાલી નીકળ્યા. રાજ્ય, મંત્રીઓ, સેના અને અંતઃપુર છ મહિના સુધી પાછળ ચાલ્યું. પેલા એવા કે પાછું જુએ નહિ : પરિવારનો વિલાપ એવો કે ઇતરને પણ દયા આવે : અંતઃપુરનું આકંદ એવું કે પક્ષી પણ વિલાપ કરે : પણ ચક્રવર્તી આંખ આડી પણ ન કરે !
સભા : એમણે સમય ન ઓળખ્યો?
કરો વિચાર. એવા પુણ્યાત્માઓ એવી રીતે સમય જોતા જ નથી. પશુ સિંહમાં એ ગુણ છે કે ચાલતાં ચાલતાં જરા પાછું વળી જોતો જાય, પણ પુરુષ સિંહ ન જુએ, ચક્રવર્તીએ ન જોયું. આટલો આટલો વિલાપ છતાં દયા પણ ન આવી ! એ તો કહેતા હતા કે મારા વૈરાગ્યધનને તાવવા આ ભયંકર પૂર છે : ગાફેલ બનું તો નાશ પામી જાઉં ! શબ નીકળે ત્યારે દરવાજે તો ઢગલો માણસ આવે, પણ થોડે થોડે વિખરાય અને ત્યાં ગણ્યાગાંઠ્યા ! પછી રાખ થાય એટલે સૌ સૌના ઘેર. બે-ત્રણ દિવસ ચાલે કે અમુક ભાઈ કે અમુક બહેન હતાં. ચોથે દિવસે બધા બોલી નાખે કે “જવાના હતા તે ગયા.' પતી ગઈ વાત. આ ચક્રવર્તી તો જીવતા-જાગતા છે, પણ એક દી, બે દી અને દી વધે તેમ અધકચરા તો પાછા જાય. છ મહિને એમ થયું કે “આ તો કારમો આદમી છે, સામું પણ જોતો નથી, આમને અસર ક્યાં થાય છે ?' બસ પાછા વળે અને આવી મક્કમતા ભાળીને સંખ્યાબંધ રાજાઓ પણ મુકુટ ફેંકી ફંકીને ચાલી નીકળ્યા, એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org