________________
761 – ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 - ૨૧ તો શ્રાવકને હોવી જોઈએ, તો પછી મુનિ એને શું કહે ? એના બંગલા, બગીચા, હાટ, હવેલી, વાડી, વજીફા, વેપાર, રોજગાર અને હૈયાંછોકરાંની ફિકર મુનિ કરે ? મુનિના સંયમની રક્ષા માટે શ્રાવક પ્રાણ પાથરે, તેમ જ મુનિની પણ ફરજ કે શ્રાવકને સંસારકૂપમાં પડતા બચાવે તેમને ખેંચવા પ્રયત્ન કરે તેમને અધઃપાતથી રોકે. તેઓ પૈસાના લોભી બને, એ અધપાત છે ને? સ્નેહી સંબંધીનું રુદન છતાંય વિરાધના તો નહિ જ પરંતુ વધુમાં આરાધના !
કહે છે કે પૂર્વે કેવા હતા ? પણ એ શાથી એવા હતા, એ વિચારતા નથી. ધનાજી લક્ષ્મી મૂકી મૂકીને ભાગતા, પણ જ્યાં જાય અને પગ મૂકે ત્યાં ઢેર નીકળતા, લક્ષ્મી પાછળ પડતી. પણ શાથી? એમને લોભ હતો ? નહિ, તે છતાં પણ લક્ષ્મી એમને વળગતી. કારણ ? પુણ્યનો પ્રભાવ છે. પુણ્ય ન હોય તો ઇચ્છા કરી મરી જાય તો પણ ન મળે. જ્યારે આ સ્થિતિ છે, ત્યારે પૈસા મેળવવા નાહકની ચિંતા, કપટ, પ્રપંચ, દંભ કરવાં તે જાણીબૂઝીને મનુષ્યત્વનો નાશ કરવા બરાબર નથી ? આ સ્થિતિ ક્યારે આવે ? સંપત્તિનું ધૂનન થાય ત્યારે ! એ કયારે થાય ? આત્મા અને જડનો વિવેક થાય ત્યારે !
કોઈ પૂછે કે શ્રી સનતકુમાર ચક્રવર્તીને એટલામાં શું થયું કે રૂપમાં વિકાર થયો ? કહેવું જ પડશે કે એ તો શરીરનો સ્વભાવ છે. તમારા આ લાલચોળ શરીર માટે તમને ભરોસો છે? અરધા કલાક પછી શું થાય તે કંઈ ન કહેવાય. ગમે તેટલું સાચવો. ગમે તેટલી કાળજી રાખો. પણ એનો સ્વભાવ બગડવાનો છે ! ચક્રવર્તીએ ઘૂંકમાં જંતુ જોયાં કે એમને એમ થયું કે “અત્યાર સુધી હું તો પરરૂપમાં લપટાયો હતો, અરીસામાં વારંવાર મુખ, હાથ અને પગનું રૂપ જોતો હતો, પણ આજે સમજાય છે કે એ રૂપ પરકીય છે, એ રૂપ મારું પોતાનું નથી : માટે હવે તો પોતાના રૂપની – સ્વરૂપની સેવા કરવી.' - આ વિચાર થયો કે તરત અમલ. ત્યાં જ લોચ. ન પૂછ્યું, ન ગાડ્યું. ઉત્કટ વૈરાગ્ય થાય ત્યાં પૂછવાનું હોય ? જ્યાં સુધી માત્ર ભાવના હોય ત્યાં સુધી પૂછવાનું. છ ખંડનો માલિક ચક્રવર્તી અચાનક સિંહાસનનો ત્યાગ કરી ચાલવા માંડે ત્યાં ઉત્પાત કેટલો થાય ? પાછળ કોણ થોડી છે ?
વ્યવહારમાં પણ કહેવાય છે કે કાણ કરનાર ન હોય તો ઠીક નહિ! જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org