SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ V અંતરાયના ઉદયે લાંબા વખત સુધી ભિક્ષા નહોતી મળી. શ્રી ઋષભદેવસ્વામીને તો મહિનાઓ સુધી નથી મળી. છ છ મહિના સુધી પ્રતિજ્ઞા પૂરી ન થવાના યોગે ભગવાન શ્રી મહાવીરદેવ ગામમાં આવીને પાછા જતા અને મજેથી ધ્યાનમાં ઊભા રહેતા. ત્યાંનાં રાજા-રાણીને પણ મૂંઝવણ થતી : ચિંતા થતી કે ભગવાન રોજ ગામમાં આવે છે અને ભિક્ષા ન મળે, આ શું કહેવાય ? આથી જ કહું છું કે સાધુ તમારા આધારે જીવે, તમારા રોટલા પર જીવે, આવું કદી ન માનતા ! માનશો તો પાપ લાગશે ! આવું માન્યું તો આપેલા રોટલા પણ નકામા જશે ! માલનો માલ જશે, બેવકૂફ બનશો અને દેવા છતાં લાભ નહિ મળે ! સંયમ તારક છે, સંયમ નથી લેવાતું, માટે સંયમીને સંયમપુષ્ટિના સાધનની સહાય ક૨વામાં ઉદ્ધાર લાગે તો હાથ જોડી, વિનયથી, બહુમાનથી ન આવતા હોય તો વિનંતિથી ઘેર લઈ જઈને આપજો. જિવાડવાની બુદ્ધિએ આપતા હો તો ન આપજો ! એના આધારે જીવે તે તો રોટલાધર, એ મુનિ નહિ ! આજના નોકરો પણ કહે છે કે ‘આવડત હશે તો શેઠિયા ઘણા. આવડત ન હોય તો ગુલામી કરીએ, માટે તમારા પર નથી જીવતા. પગાર કાંઈ મફત નથી આપતા. અનીતિ નહિ કરું, પાલવે તો રાખો, નહિ તો શેઠ ઘણા.' આવા પ્રામાણિક નોકરો પણ પડ્યા છે. પચાસ-સાઠ રૂપિયાના પગારદાર જો આવું બોલે, તો સંયમના વિશ્વાસુ સાધુ શું બોલે ? જેના હાથમાં ઓઘો તેનું શું પેટ ન ભરાય ? રજોહરણવાળાને રોટલા-પાણી માટે દીનતા કરવી પડે તે સ્વપ્ને પણ ન માનતા. પરિપૂર્ણ ભાગ્યોદય હોય ત્યારે ઓઘો હાથમાં આવે. જ્યાં ચક્રવર્તી શિર ઝુકાવે એવા સંયમ પાસે રોટલાની શી કિંમત ? Jain Education International 760 પ્રભુશાસનને પામ્યા હો તો શાસનનો કાયદો સમજો. તમે લોભી હો કે ગમે તેવા હો, પણ મહેરબાની કરીને તમારી કાર્યવાહીમાં સાધુને ન નાખતા. તમે સાધુને કહેજો કે ‘અમે તો ભોગના કીડા છીએ, પણ તમે જેવા નીકળ્યા છો તેવા નીકળેલા રહેજો ! નીકળ્યા છતાં ભળેલા ન થશો.' આવું કહે તે શ્રાવક સાધુનાં માબાપ, નહિ તો વૈરી. શ્રાવકને શાસ્ત્રકારે બાર પ્રકારના કહ્યા છે. જેમ માબાપ જેવા કે મિત્ર, ભાઈ, વગેરે જેવા કહ્યા છે, તેમ દુશ્મન જેવા પણ કહ્યા છે ! તેઓનો સ્વભાવ છે કે ચાંદાં પાડે. બાકી વિચારો કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલો શ્રાવક બંગલા બગીચામાં રહ્યા છતાં પણ ભાવના કઈ ભાવે ? ‘ક્યારે આ બધું છોડી સંયમ લઈ ઘોર અટવીમાં કાયોત્સર્ગધ્યાને રહું અને જંગલનાં પશુઓ મને થાંભલો સમજી નિર્ભયપણે પોતાની ચળ મટાડવા ખણે.' - આવી ભાવના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy