________________
75g
- ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 -
--
૧૯
જેમની પ્રશંસા કરતા. એ આવકમાં પણ કાયમ ત્રિકાલપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, અને આવશ્યક ક્રિયા એમની અખંડપણે ચાલુ હતી. એમાંથી દાન પણ ખરું. દાન અને અન્નપાણી બધું એમાં, અને તે પણ પ્રફુલ્લ ચિત્તે ! આજે બારસો મળે તો પણ શ્યામતા ! એ આનંદ, એ પ્રફુલ્લતા, એ શાંતિ, એ ઉત્તમ વિચારમાંથી કશાયનો પત્તો નથી ! બહારની સંપત્તિ-રંગરાગ ગમે તેટલાં વધારો. પણ આત્માનો આનંદ આપવાની તાકાત એમાં નથી જ !
શ્રાવક મુનિની કઈ ખબર રાખે અને મુનિ શ્રાવકને શું કહે ?
શ્રાવક અને મુનિ પરસ્પર ચિંતા કઈ કરે ? પરસ્પરની ફરજ વિચારો. તમે અમારા સંયમની ખબર પૂછો, અમે તમારી ધર્મક્રિયાની ખબર પૂછીએ. તમે આવીને શું પૂછો ? સભા : સુખશાતા.
એ તો પછી, પણ પ્રથમ તો સુખ સંયમયાત્રા નિર્વહો છો જી?” - આ પૂછો. એ બરાબર હોય તો જ તમે અમારા સાધુ-ગુરુ ! માટે જ સુખશાતા પૂછવાની ! અને એ માટે જ ભાત પાણીને માટે અમારાં દ્વાર ખુલ્લાં!- એમાં પોલ હોય તો ગુરુ પણ નહિ, સુખશાતા પૂછવાની પણ નહિ અને રોટલા પણ બંધ ! – આ જ તમારું માનવું હોય ને ? અને શ્રાવકને ગુરુ શું પૂછે ? “પેઢી કેમ ચાલે છે ? ભણીને ડિગ્રીબિગ્રી મેળવી કે નહિ ?” - આ નહિ જ. પરમતારક શ્રી જિનેશ્વરદેવના શાસનનો સાધુ શ્રાવકના રંગરાગ કે બંગલા બગીચાને વખાણે નહિ, એ વાત પણ પૂછે નહિ, પણ ધર્મપ્રવૃત્તિની જ પૃચ્છા કરે !
આજ તો સાધુને પૂછે છે કે “તમે કોના આધારે જીવો છો ?” સાધુ તો કહે જ કે “ભગવાનના આધારે અને આ તે તારકના ઓઘાના આધારે જીવીએ છીએ.” કહે છે કે ‘શ્રાવક આપે તો ને?” - આના ઉત્તરમાં સાધુ તો કહે કે “જો ખોખાને આપતા હો તો ન આપો !' શ્રાવક શું આ ખોખાને આપે છે ? નહિ જ. સંયમને આપે છે. આપવામાં નિસ્તાર માને તો આપે, નહિ તો ન આપે ! સાધુ શી રીતે ભિક્ષા માગવા જાય? “દો અન્નદાતા !” – એમ? નહિ. તે તારક તો નીકળે ત્યારથી જ એ ભાવના કે મળે તો સંયમપુષ્ટિ અને ન મળે તો તપોવૃદ્ધિ ! આમાં હાનિ છે જ ક્યાં ?
ભગવાન શ્રી મહાવીરદેવ તથા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org