________________
૧૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -
-
158
દેવતા જ્યારે રૂપની પ્રશંસા કરે છે, ત્યારે નાહવા બેઠેલા એ ચક્રવર્તી કહે છે કે “અત્યારે રૂપ શું જુઓ છો ? સ્નાન કર્યા બાદ વસ્ત્રાલંકારથી સુસજ્જિત થઈ મુગટ ધારણ કરી સિંહાસન ઉપર બેસું ત્યારે જોજો.” દેવતાઓએ તો એ વખતે પણ રૂપની પ્રશંસા કરી હતી કે “જેવું રૂપ સાંભળ્યું છે. જેવી ઇન્દ્ર પ્રશંસા કરી છે તેવું જ છે !' પણ ચક્રવર્તીને આ વખતે રૂપનો મદ છે.
એ ચક્રવર્તી સિંહાસન ઉપર બેઠો, દેવતાએ માથું ધુણાવ્યું, રૂપમાં થયેલું પરિવર્તન બતાવ્યું અને ઘૂંકની પિચકારીમાં જંતુઓને જોયાં. ચક્રવર્તીને પોતાને
જ્યાં અનુભવ થયો કે ત્યાં જ લોચ કર્યો. ન પૂછ્યું કે ન ગાડ્યું! એ એકલા હતા કે બેકલા ? એમને ચોસઠ હજાર તો સ્ત્રી, સંખ્યાબંધ સસરાઓ અને સાસુ કેટલી ? જેનો સુમાર નહિ એટલો મોટો વિશાળ પરિવાર ! જેના ઉપર આ બધાનો આધાર ! પણ જે દિવસે એને પોતાના આત્માના સ્વરૂપનો ખ્યાલ આવ્યો તે દિવસે વિલંબ ન કર્યો. પૂછવુંયે નહિ અને ગાળવુંયે નહિ !
એ જ ચક્રવર્તી પાસે સંયમધર અવસ્થામાં એ જ દેવતાઓ ધવંતરિ બની રોગ દૂર કરવા આવે છે અને આ જ ચક્રવર્તી કહે છે કે “ એ રૂપે પ્રગટ કરવા માગું છું તે રૂપ પ્રગટ થાય તેવું ઔષધ હોય તો આપો. આ બહારનું રૂપ સુધારવા - આ બહારના રોગો કાઢવા તો મારા મનમાં પણ તાકાત છે !” – એમ કહી આંગળી પર થૂક ચોપડી એને સોના જેવી બનાવે છે. અને બહારના રોગોને આત્માનું રૂપ પ્રગટ કરવામાં સહાયક માને છે.
જૈનશાસન પામ્યા હો તો બહારની ખટપટમાં ન પડો આત્માની ખટપટમાં પડો ! જૈનશાસન પામેલાને દુનિયાની કાર્યવાહી તરફ અનુરાગનો છાંટો પણ ન હોય. દુનિયા વધી કે ઘટી એ એને મન નજીવી વાત - એમ જ હોય. એને તો એક કર્મલીલા માને અને કહે, શુભ અશુભ કારસ્તાનને કર્મજન્ય કહે. બહારની સાહ્યબીની એને બહુ કિંમત ન હોય. આત્મધર્મ પ્રગટ થાય ત્યાં સાહ્યબી તો આધીન છે, એમ શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે : પણ ગળે ઊતરે તો ને ? બહારની મહેનતથી સાહ્યબી ગમે તેટલી મેળવો પણ આત્મધર્મ બુઝાયો તો સાહ્યબી લાત મારીને ત્રીજે દાડે ચાલી જશે. આત્મધર્મ જાગતો હશે તો અશુભોદયથી દારિદ્રવ્ય આવશે તો પણ એ દારિદ્ર આત્માને મૂંઝવશે નહિ. ભગવાનના શાસનમાં જેમ અબજોપતિ હતા તેમ સાડા બાર દોકડાની આવકમાં પણ બધી કાર્યવાહી કરનારા પણ હતા અને તે પણ એવા કે ક્ષાયિક સમ્યકત્વના ધણી શ્રી શ્રેણિક મહારાજા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org