________________
151
-
- ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 –
-
૧૭
મારા આત્માને કંઈ કરી શકે તેમ નથી.' - એમ જ સમ્યગ્દષ્ટિ માને. એ તો એમ માને કે “અસાવધ થાઉ તો આ બેય મારે : એક પણ જીવાડનાર નથી.” ખરેખર, બહારના ખોટાં કરતાં બહારનું સારું બહુ મારનારું છે. ખોટા આગળ તો સમ્યગ્દષ્ટિ ઊભો પણ રહે, પરંતુ સારા પાસે ટકવું મુશ્કેલ છે. બીમારી અથવા આપત્તિ આવે તો સમ્યગ્દષ્ટિ “ભલે આવે” એમ કહે, પણ સાહ્યબીને એમ ન કહે ! કઠિનતા ત્યાં જ છે.
સાહ્યબી તથા આપત્તિ બેય કર્મો ઊભી કરી, પણ ઊભી થયેલી આપત્તિ વખતે સમ્યગ્દષ્ટિ આત્મા શાંતિથી બેસે, આપત્તિથી જ ઉદ્ધાર માને : પણ સંપત્તિ વખતે સંપત્તિમાં પોતાનો ઉદ્ધાર ન માને. સમ્યગ્દષ્ટિ સંપત્તિથી ડરે. સંપત્તિથી ભાગવું એ પહેલું ધૂનન. સંપત્તિનો સદુપયોગ એ પણ આંશિક ધૂનન. આપત્તિનું ધૂનન તો બધાય ઇચ્છે. પથારીમાં પડેલો એવો કોણ છે, કે જે તેમાંથી ઊઠવા ન ઇચ્છે ? ઊઠે નહિ એ વાત જુદી પણ ઊઠવા ઇચ્છે નહિ ? “નથી છૂટતું, ક્યારે છૂટે ?' - આ ભાવના પણ ન હોય ? ન છૂટી શકવા માટે પશ્ચાત્તાપ કેટલી વાર કરાય છે ? ખસવું તો પછી રહ્યું, પણ ખસવાની ભાવના, ન ખસાય તે માટે પશ્ચાત્તાપ અને ખસે તેને હાથ જોડવા, - આ પણ ન બને ? આ ધૂનન છે. ધૂનનની વાત ચાલે છે. મોં ન બગાડતા.
તમારી આ સંપત્તિથી વેગળા ખસો અને આત્માને એનાથી અલગ કરો, તો જ આત્માની સંપત્તિ સાંપડે. એ ન થાય ત્યાં સુધી એક પણ વસ્તુ પરિણામ નહિ પામે. આ સંપત્તિ એ આત્મધર્મ સામે મોટામાં મોટી દીવાલ છે. એને ભૂમિશાયી ન બનાવો ત્યાં સુધી પત્તો ન ખાય. અનંત જ્ઞાનીએ ત્રણે કાળને માટે એકસરખી રીતે જોઈને કહ્યું કે આ સંપત્તિથી અલગ ન થાઓ ત્યાં સુધી આત્માની સંપત્તિ પ્રગટ થવાની નથી. બાહ્ય સંપત્તિ પાસે રાખીને આત્મસંપત્તિને પ્રગટ કરવાની વાત તો મૂર્ખતા જ છે. આત્માનો ખ્યાલ આવે એટલે કોને પૂછે ને કોની સલાહ લે?
શ્રી સનત્કુમાર ચક્રવર્તીને સાતસો વરસ સુધી સોળ સોળ રોગોએ પીડા કરી. એ છતાં પણ એ ચક્રવર્તીને એ વિચાર પણ ન આવ્યો કે “ક્યાં હું ચક્રવર્તી ને ક્યાં આ દુર્દશા ?” પહેલાં એ જેટલા રૂપ ઉપર માતેલા હતા તેટલા જ પાછળથી સ્વરૂપ - આત્મા ઉપર માતેલા બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org