________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો મ
સમજી જશે. જ્યાં ખાજાં અને ભાજી એક ભાવે મળતાં હોય એવી અંધેરી નગરી હોય, નાયક ગંડુ હોય અને ટોળું જાવસોઈ કરનારું હોય, ત્યાં કમી શી ?
૩૨૮
આપણે જો ભગવાન શ્રી મહાવીરદેવના દીકરા જ છીએ, આગમનું આપણને શરણ છે અને એના કહેલા માર્ગે જ ચાલનારા સેવક છીએ, તો પછી ભય કોનો ?
1068
ચોથું મહાવ્રત :
જ્યાંથી પુનર્લગ્નના પયગામ પાઠવાય, ત્યાં પાંચ મહાવ્રતને ધારણ કરનારાની હાજરી હોય, તો એ કલિકાળનું ભયંકર લક્ષણ છે. આ આત્માના નાશનું બારણું ખૂલે છે. પાંચ મહાવ્રતો પૈકીના ચોથા મહાવ્રતનો પાઠ શું છે એ જાણો છો ?
‘દ્રવ્યથી રૂપ અને રૂપના સહગત પદાર્થો, ક્ષેત્રથી ઊર્ધ્વ, અધો અને તિńલોક, કાળથી દિવસ અને રાત્રીએ અને ભાવથી રાગ અને દ્વેષથી, મૈથુન સેવું નહિ, સેવરાવું નહિ અને સેવતાને સારો જાણું નહિ :' આ ચોથું મહાવ્રત.
જ્યાં લગ્ન તો દૂર, પણ પુનર્લગ્નની વાતો, ત્યાં મહાવ્રતધારીની હાજરી એ કેવો ગજબ ? કોઈ દીક્ષા લે ત્યારે જેઓ એમ કહેવા આવે કે પત્નીને મૂકીને પતિને દીક્ષા લેવાનો હક શો ? તેઓ જ વિધવા કે જે પતિની મર્યાદા પાળે છે, એને પુનર્લગ્નના પયગામ પાઠવે છે : આમને મોઢાં કેટલાં ? જગ્યા એવું બોલવું. ફાવ્યું એમનું કૂટવું. જેવો નીકળે એવો જ અવાજ કાઢવો એમ જ કે બીજું કાંઈ છે ?
સભા : કહે છે કે પુરુષોને કેમ છૂટ ?
પુરુષોને છૂટ કોણે આપી ? થાઓ ઊભા અને કરો નિયમ !
સભા : કહે છે કે બાળલગ્નાદિના ઉપદેશ કેમ નથી અપાતા ?
જ્યાં લગ્નની જ ના કહેવાય ત્યાં બાકી રહ્યું શું ? ઉપદેશ બધા દેવાય છે, પણ ફાવે તેમ બોલે એનો ઉપાય ન હોય. પુરુષો પચીસ વરસ સુધી પરણે જ નહિ, અને વળી જિંદગી સુધી બ્રહ્મચારી રહે તો ઘણું જ ઉત્તમ તથા ન બને તો એકથી વધારે વાર ન પરણે એવો કાયદો કોને ! આ તો એમ કે ‘અમે નાકકટ્ટા અસતા, અને સ્ત્રીઓ સતી કેમ બને ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org