________________
1057
- ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? – 69
-
૩૨૭
કે જેથી મર્યાદા સચવાય. મર્યાદા માટે સામાજિક બંધન. હાથી પણ ચગદે નહિ, માટે એના માથે પણ અંકુશ. મદારી પણ ધાર્યું કામ લેવું હોય તો માંકડાના ગળામાં સાંકળ નાખે. સાંકળ કાઢી નાખે તો એ જ વાંદરો કરડે અને નાસી પણ જાય. ધર્મની ઘાત થાય ત્યાં કહી દેવાનું કે એવાં સામાજિક બંધન પરવડે નહિ. હજી તો તમારે ગામમાં ઘર છે, પણ ન હોય તો પણ સાવધ રહેવાનું છે : માનો કે કાલે એ પણ ઝૂંટવી લે. આજ્ઞાભંજકની ભયંકરતા : સભા : આ રાજમાં હજી એવું બને એમ નથી.
બનવાનું તો નથી, પણ કહેવાનો આશય એ છે કે પાપ માટે વિરોધીઓ આટલો ત્યાગ કરે, તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે એથી પણ અધિક ત્યાગ ન થાય ? આ સમજાઈ જાય તો એ પણ સમજાઈ જાય કે સંઘ કયા કાયદા કરે ! સંઘ પ્રમાદ ઘટાડે પણ વધારે નહિ ! જે સંઘ હાડકાંનો ઢગલો કહેવાય છે, તે પ્રમાદને પોષનાર છે તેને પણ બીજાને નહિ. પ્રમાદને પોષનાર, પ્રમાદને પોષાય તેવા કાયદાઓ કરનાર સંઘ હાડકાંનો ઢગલો છે, એમ કહેવામાં હરકત પણ શી છે ? જે સંઘ પ્રમાદ ઘટાડનાર છે અને તેવા પ્રયત્નો કરે છે, તે શ્રીસંઘ તો આજે પણ શ્રી તીર્થકરની જેમ પૂજ્ય છે.
આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય, પણ તે જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય તો તે સંઘ છે, એ સેવ્ય છે, પૂજ્ય છે : પણ સામે જો લાખ સાધુ, લાખ સાધ્વી, લાખ શ્રાવક અને લાખ શ્રાવિકા હોય અને તે આજ્ઞાથી વિરુદ્ધ હોય તો તે હાડકાંનો ઢગલો છે.
આગળ કહ્યું કે જે શ્રીસંઘ પૂજ્ય, એ જ જો ઊલટો થાય તો સર્પ જેવો બહુ ભયંકર. વ્યવહારમાં પણ સાપણ જેવી મા ન જોઈએ, એ કહેવત છે. સાપણ મા તો બચ્ચાંને પણ ખાવા જ માંડે. એટલે જે ભાગે તે જ બચે ત્યાં તો બચે એનું ભાગ્ય.
જે સંઘ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર પગ મૂકે તે સર્પ જેવા છે, એમ સમજી જ લેવું. એવાઓની સાથે વાતના પ્રસંગમાં બીજું બોલાય જ નહિ. “પુરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં' આટલું કહેવું એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org