________________
10:.
- ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? – 69 -
-
૩ ૨૯
સભા : અનુકંપાથી એવાં દાન ન દેવાય ?
મદિરાનાં દાન હોય ? માંસનાં દાન હોય ? ચોરીનાં હથિયારનાં દાન હોય? ખરે જ, આ બધી ભયંકર વાતો છે. એવા વિચારો પણ ન હોવા જોઈએ, ત્યાં પ્રવૃત્તિઓની વાત જ શી ? કુલીન સ્ત્રીઓએ પણ ‘પુનર્લગ્નના વિચારો ક્યા ભેજાના છે ?' – એ પ્રશ્નનો ઉત્તર આપતાં સંભળાવી દીધું કે વિષયાધીન ગુલામોના એ વિચારો છે, પણ બ્રહ્મચર્યપ્રેમી મનુષ્યોના એ વિચારો નથી : હોય જ નહિ !”
સંયમીને તો કરું નહિ, કરાવું નહિ અને કરે એને સારો માનું નહિ, એ પચ્ચકખાણ હોય : એની એવી સભાઓમાં હાજરી તથા સંમતિ ? લગ્ન તો દૂર પણ પુનર્લગ્નની વાતો હોય કે જેની સામે વિધવાનો પોકાર જીવતો-જાગતો પડ્યો છે, એ સ્થાનમાં હાજરી હોય ? આજે એ વર્તાવ થાય છે ને ? વારુ, તમે લગ્નની કંકોત્રી લખો તો સાધુ આવી શકે ?
સભા: નહિ. કેમ ? લગ્ન ઉમદા નીતિ છે, એમ કહો છો ને ! સભા સંયમીને ત્યાં નિસ્બત જ નથી.
આટલું તમે પણ જાણો છો ! સંસારીઓ આટલું જાણે અને સંયમી પોતે આવો વર્તાવ કરે છે ? વાડ ચીભડા ગળે છે : રક્ષક ભક્ષક થાય છે : તારક નાશક થાય છે : તમારામાં બુદ્ધિ હોય તો સમજો. શાણાને આટલું બસ છે. નઠોરની વાત જુદી છે. ધર્મમાં સ્થિર થાઓ. હવે તો સ્વાર્થનો ભોગ નહિ આપો તો વાયરા ભયંકર વાઈ રહ્યા છે.
શ્રી જિનેશ્વરદેવ તથા સાધુ તથા આગમ તારક લાગે, સંસાર ખોટો લાગે, વિષયકષાય હાનિ કરે છે એ બરાબર લાગે, તો મક્કમ થાઓ. આવી ભાવનાવાળા માટે ભયંકર વખત નથી, ન આવે એ ઇચ્છીએ, પણ કદી કર્મોદયે એ વખત આવે તો પણ મક્કમ રહેવાય, તો શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા તે સફળ થાય. કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારાઓને પણ મરણાંત કષ્ટ આવ્યાં છે. આપણો મુદ્દો
શ્રી ગજસુકુમાલને સસરાએ માથે અંગારા ભર્યા. પોતાના જમાઈને અંગારાથી બાળ્યો. એ વખત ન આવો, કેમ કે આપણામાં એ બળ નથી, પણ કદી કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org