________________
1061
-- ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69
-
૩૨૧
બધાને સત્તાવાળા બનવાની ઇચ્છા છે, પણ બધાને સત્તા નીચે ચગદાવું પડે છે. સત્તાનો જાપ કરતાં કરતાં, ગુલામી કરતાં કરતાં ગુલામીમાં કેટલાય મરી ગયા. જોઈએ તો બધું પણ પુણ્ય ક્યાં છે ? પુણ્ય વિના કાંઈ મળતું નથી.
બચવા ઇચ્છનારને બચાવવાનું કામ આપણું, પણ ડુબાડવાનું કામ આપણું નથી. પૈસા લઈને પોતાની સ્ટીમરમાં બેસાડનાર કપ્તાન પણ તોફાન થાય તે વખતે ઉતારુને બચાવવા તમામ પ્રયત્નો કરે, વાયરલેસથી બીજી સ્ટીમરોને મદદે બોલાવે અને ઉતારુને પણ ચેતવે. એનામાં પણ એટલો વિવેક છે : સ્વાર્થીમાં પણ પરમાર્થબુદ્ધિ છે : તો પછી જેઓને જ્યાં તારવાની જ ભાવના હોય, તેઓ સ્વયં ડુબાડનાર કેમ બને ?
તરવાની સ્ટીમર સાજી રાખવી કે કાણી કરીને ડુબાડી દેવી ? સ્ટીમર કાણી હોય અને એમાં કોઈ સ્વાર્થી માણસ મુસાફરોને લઈ જતો હોય, અગર લોકો જતા હોય, ત્યારે આપણે કાણી સ્ટીમરને બાળવામાં પાપ માનીએ, પણ એ સ્ટીમર કાણી છે એમ કહી ત્યાં જતા લોકોને રોકએ તો ખરાને ?
આપણે ભલે ચાર જણા હોઈએ, પણ કાણી સ્ટીમરમાં જતાં રોકીએ એમાં વાંધો શો છે ? રોન મારનારાની ફરજ છે કે બૂમ માર્યા કરે : ઊંઘણશી શેઠિયા ન જાગે તો એમનું ભાગ્ય, પણ પેલા તો બૂમ ન મારે તો ગુનેગાર છે જ ને ? કાણી સ્ટીમરમાં જઈએ એવા આપણે મૂર્ખ નથી તો બીજાને પણ કેમ જવા દેવાય ? પરીષદ વિચારે શું?
અમે પણ બૂમ મારીએ અને તે છતાંયે તમે ન જાગો અને ડૂબા, એનું જોખમ અમારે માથે તો નહિને ? માટે વિચારો કે પ્રભુઆજ્ઞાવર્તી શ્રી જૈનસંઘોથી શું ઠરાવ થાય ? અને આજે નામધારી સંઘો તરફથી કેવા અને કયા ઠરાવો થઈ રહ્યા છે ?
મનુષ્યોની પરીષદ ઠરાવ શું કરે? મનુષ્યરૂપે પશુ જેવાની વાત નથી કરતો હોં ! મનુષ્યો અને તે પણ ભણેલા, સુધારક, પ્રગતિ કરનાર કહેવાતાઓની પરીષદ કયા ઠરાવો કરે ? જેનાથી જીવન કાળું થાય એવા ઠરાવો કરે કે ઉજ્જવલ થાય એવા કરે ? પાપના માર્ગને પહોળા કરવા એ શું સુધારો છે ? આ બધી વાતો મનુષ્યની પરીષદની કરું છું, પણ મનુષ્યની આકૃતિમાં ફરનારાઓની વાત નથી કરતો. મનુષ્યની આકૃતિમાં ફરતા તો હરણના જેવા મૂર્ખ પણ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org