________________
૩૨૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
- 102
રાસભ જેવા અક્કલહન પણ હોય, ઊંટ જેવા અઢારે વાંકાં અંગવાળા પણ હોય એવી રીતે જ્ઞાનીઓએ બધીયે ઉપમા આપી છે, પણ જેનામાં મનુષ્યપણું ખીલ્યું હોય, એ કઈ વાતો કરે ? લોક ઉદાર, સદાચારી અને સહિષ્ણુ બને એવા વિચારો કરે કે દુરાચારી, લોભી અને અનાચારી બનાવવાના વિચારો કરે ?
વિષયાળીનો તો વિષયના ટુકડાના ગુલામ હોય છે. કૂતરાને ચાર ઇંડા મારો, પણ તુ તુ કરો તો ટુકડા રોટલા માટે પાછો આવે, તેમ વિષયના અર્થીની પણ કૂતરા જેવી હાલત હોય. ડફણાં પડે તો પણ જાય. જ્યાં ડફણાં પડે ત્યાં આદમી જો આદમી હોય તો ન જાય, પણ જે વિષયને વશ હોય તે તો કૂતરાની જેમ જાય. વિષયના ટુકડા જ્યાં મળે ત્યાં ગમે તેવી ખરાબ હાલત હોય તો પણ જાય.
આપણે નાદાનોને એ કહે ત્યાં મૂકવા ન જ જઈએ, પણ બચાવાય તો બચાવીએ, નાદાન છોકરો પોતાના બાપને કહે કે “મને વેશ્યાવાડે મૂકવા આવો - તો સાચો બાપ ત્યાં મૂકવા જાય ? નહિ જ, પોતાથી રોકાય તો રોકે, પણ બેવકુફ બનીને ત્યાં મૂકવા ન જ જાય. છોકરામાં માણસાઈ ૨હી શકે - સજ્જનતા રહી શકે તેવી સામગ્રી આપે, પણ વેશ્યાવાડે મૂકવા ન જ જાય: કારણ કે બાપનું એ કામ નથી. ચોર, જુગારી કે લુચ્ચો બનવાની સલાહ બાપથી દીકરાને અપાય ? નહિ, તો પછી વિવેકી આદમીઓ વિષયાધીનોને કઈ સલાહ આપે ? તો હિંદુસ્તાન ઝળકે :
જેટલા પ્રયત્નો વિષયો વધારવાના થાય છે, તેટલા ઘટાડવાના કરવામાં આવે તો આજે હિંદુસ્તાન ઝળકે ? એનો આજે ઉદ્ધાર થાય.
સભા : પણ બાપ જ એવો હોય તો ?
તો ભાગ્ય ! બેય રુએ. ઊંટના વિવાહમાં વેદપાઠક ગધેડા ! બેય પરસ્પરનાં વખાણ કરે. એકનું રૂપ અને એકનો ધ્વનિ, એકેમાં ખામી છે ? એક વાંકો અને બીજો ભૂકે. આવો સંયોગ હોય ત્યાં હાથ જોડીએ : ‘કુર્બનં પ્રથમં વ’ એ ન્યાયે નમસ્કાર કરીએ, જેથી આપણને છાંટા ન ઉડે. આજકાલ ચાલી રહેલી કાર્યવાહી ઉદ્ધાર કરનારી છે કે અધ:પાત કરનારી છે ? પ્રજા (પુરુષવર્ગ કે સ્ત્રીવર્ગ) અંકુશમાં રહેશે તો સારું કે સ્વચ્છંદી થશે તો સારું ? આગળના સુશ્રાવકોની પ્રવૃત્તિઓ સમજો.
પ્રથમ કોઈ રાજા પણ અયોગ્ય કાયદા કરે, તો રાજ્યના રેકર્ડ દ્વારા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org