SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 1059 - ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ?- 69 – ૩૧૯ રાજાએ જગ્યા આપી : ત્યાં ખોદાણકામ શરૂ થયું કે વિરોધીઓ ચોંક્યા કે “જે જગ્યામાં આપણું મંદિર નહિ ત્યાં એનું થાય ?' એ ગામમાં બધે ખારું પાણી નીકળે, પણ ભાગ્યયોગે ત્યાં મીઠું પાણી નીકળ્યું. વિરોધીઓ રાજા પાસે ગયા અને સમજાવવા લાગ્યા કે “મહારાજા સાહેબ ! આપણા નગરમાં બધે પાણી ખાર નીકળે છે, પણ આપે જે જગ્યા પેથડશાને આપી છે ત્યાં મીઠું પાણી નીકળ્યું છે, તો એ જગ્યા આપણા મંદિર માટે રાખી એમને બીજી જગ્યા આપો.' રાજાએ વિચાર પર વાત રાખી એમને પાછા વાળ્યા. રાત્રે એ વાત રાજા કરી રહ્યા હતા, ત્યારે પગચંપી કરતા હજામે પણ આ વાત સાંભળી. હજામ પણ પેથડશાનો જ હતો. આખી પ્રજા દાનને આધીન થઈ હતી. થોડા વિરોધી પણ હોય. હજામને પણ ચટપટી થઈ કે ક્યારે અહીંથી ઊઠું અને પેથડશાને આ વાત જણાવું. ખુલ્લી મૂઠીનો આ પ્રભાવ છે. હજામ પણ ત્યાંથી ઊઠ્યો એવો મધ્યરાત્રે પેથડશાને ત્યાં ગયો અને બધી વાત કરી. પેથડશાએ એને પણ એ વખતે દાન આપ્યું. હજામ ગયા બાદ પોતે બહાર નીકળ્યો. પેથડશાને કોઈ પૂછે જ નહિ, એવી એની આબરૂ થઈ ગઈ હતી. રાત્રે દરવાજો ખોલાવ્યો. દ્વારપાલ પણ પેથડશાનું નામ આવે ત્યાં બીજો વિચાર કરે જ નહિ. “મારે કામ છે માટે દરવાજો ખુલ્લો રાખજો' એમ કહી પેથડશા બહાર ગયા. પેથડશાને સિપાઈ કે કોઈ કંઈ પણ પૂછે જ નહિ. પેથડશા પોતે જાતે બહાર જઈ મીઠાના કોથળા લાવ્યા અને પેલું પાણી નીકળ્યું હતું એ પાયામાં નાખ્યા : પછી ઘરે જઈને સૂઈ ગયા. સવારે રાજાએ પેથડશાને બોલાવ્યા અને મીઠા પાણીને લઈને પ્રજાના વિરોધની વાત જણાવી. પેથડશાએ ક્યું કે “જેવી આપની મરજી, પધારો અને ખાતરી કરો કે પાણી મીઠું છે કે કેવું છે?” પેથડશા પોતે અજાણ થયા. રાજાએ ત્યાં જઈ તપાસ કરી તો પાણી ખારું જણાયું. ખબર આપનારાઓને ધમકાવ્યા કે “આવી ખોટી ખબર આપો છો ? જાઓ, તમારું કાંઈ સાંભળવા નથી માગતો” એ વખતે પણ પેથડશાએ વિરોધી સામે સોનૈયા ઉછાળ્યા. વિરોધીઓ પણ કહેવા લાગ્યા કે “ધર્મ તો એનો જ સાચો છે. મંદિર તો બને ત્યારે ખરું, પણ કાર્યસિદ્ધિ માટે કરોડોનો પણ હિસાબ ન ગણ્યો. ત્યાં એવું મંદિર બંધાવ્યું કે જેવું રાજાનું પણ નહોતું ! નગરમાં પેસતાં જ દેખાય તેવું! છેટેથી દેખાય તેવું! જિનમંદિરવાળું ગામ એ રીતે ઓળખાય એવું જિનમંદિર બંધાવ્યું ! “મારા આધારે મંદિર નભે છે' એમ માને તો આ રીતે થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy