SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1051 કારણ ધર્મ છે. શ્રી જિનેશ્વરદેવે સંવરની ક્રિયામાં પણ આદેશ ન રાખ્યો, કિંતુ ઉપદેશ જ રાખ્યો. આદેશ તો ક્વચિત્ : આદેશથી કદાચ કોઈ કરે પણ, પણ હૈયામાં નહિ : અને ઉપદેશ ચ્યા પછી કરે તે જુદું જ કરે ! પેથડશાના વિરોધી કેવા હતા ? શ્રી જિનેશ્વરદેવને નહોતા માનતા, પણ આડા નહોતા. એ તો ઓળખતા નહોતા. આ તો અમુક રીતે ઓળખે છે ખરા, પણ શ્રી જિનેશ્વરદેવાદિ દુન્યવી વસ્તુઓનો ત્યાગ કરવાનું કહે અને આમને ત્યાગ રુચે નહિ માટે માનતા નથી. પેલા તો ઓળખતા જ નહોતા. આ તો અમુક રીતે ઓળખે છે, પણ સમજે છે કે એમને માનીએ તો છોડવા વખત આવે ! આવી ભાવનાવાળા વશ ન થાય. કોઈ પણ આત્મા પ્રભુમાર્ગમાં આવે, એ તો આપણો મનોરથ : પ્રભુમાર્ગથી વિરુદ્ધ ન બોલે એ ઇચ્છીએ : વશ થઈ શકે એના માટે પ્રયત્ન કરાય : પણ વશ ન થાય એવા માટે પ્રયત્ન કરવો, એ નકામો જ ને ? હું પ્રથમ સમજાવી ગયો છું કે ત્રણ વર્ગ છે : ધર્મ, અધર્મ અને વિરોધી. ધર્મીનો તથા વિરોધીનો વર્ગ નાનો : અધર્મીનો વર્ગ મોટો : એ વચલો વર્ગ જ્યાં ચમત્કાર દેખે ત્યાં એ ઢળે. વચલો વર્ગ વિરોધીને આધીન ન થાય, માટે એ વર્ગને ચેતવવાની ધર્મીની ફરજ. જો એ કામ આપણા માથે ન હોત, તો વિરોધીની દલીલોની વાત પણ આપણે ન કરત. વિરોધીની દલીલ તોડવી પડે છે, એનું કારણ કે વચલો વર્ગ ટિપાઈ ન જાય એ આપણી ભાવના છે ! વિરોધીને તો આ વસ્તુ જચવાની જ નથી. જચે તો પણ અધ્ધરથી કાઢી નાખે એવા એ છે. મોંમાં આંગળાં નાખી ઊલટી કરે એવા છે. અમુક તો એવું પણ કહે છે કે “ગમે તેવું સારું અમારી પાસે ધરો, પણ એમાંથી સો સગુણમાંથી એક પણ નહિ લેવાના, એ તરફ જવાના પણ નહિ, પરંતુ ચાંદુ દેખાઈ આવે તો એનો ધજાગરો કરવાના અને ચાંદું ન જડે તો ગીધ પક્ષીની માફક ચાંચ મારીને પણ ચાંદું પાડવાના.' ગીધનો એ ગુણ છે કે મડદાં ન જડે તો છેવટે જીવતા પર પણ બેસે, માટે એવાઓથી ગભરાવું જોઈએ નહિ. પેથડશાને ત્યાંની પ્રજા પણ આધીન થઈ ગઈ અને રાજા પણ તુષ્ટમાન થયો. રાજાએ પણ ઇચ્છાનુસાર માગવાનું કહ્યું. પેથડશાએ કહ્યું કે “મારે કંઈ કામ નથી. આપની ઇચ્છા હોય તો કહું, પણ કદાચ તમારાથી નહિ બને : આપને નહિ ગમે.' રાજાએ કહ્યું કે “સંકોચ વગર કહો : તમારા માટે બનાવીશ.' પેથડશાએ જિનમંદિર માટેની રાજધાનીના મધ્યભાગમાં જગ્યા માગી : રાજા કબૂલ થયો અને જગ્યા પસંદ કરવાનું કહ્યું : પેથડશાએ જગ્યા પસંદ કરી : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy