________________
1057
- ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 -
-
૩૧૭
પાંચને બદલે પચીસ ચીજ ખાઓ-પીઓ છો. દેનાર કેમ ન આવે એની ચિંતા નહિ, પણ લેનાર કેમ ન આવે એની ચિંતા કરો છો ? ઉપાશ્રયમાં ટીપ કરવા રોજ આવે અને દબાણ થાય તો પાઘડીઓ ખસવા માંડે. ધર્મના હૃદયને પરખીને ધમ પ્રવૃત્તિ કરે, પણ જ્યાં હૃદયથી ધર્મ આઘો જ હોય ત્યાં શું થાય ? ધર્મી, અધર્મી અને વિરોધી !
સભા : પેથડશાએ વિરોધીને સંતોષીને કામ લીધું એમ આજે ન થાય?
ભાગ્યશાળીઓ ! એ વિરોધી અને આ વિરોધી જુદા. પેલા તો શ્રી જિનેશ્વરદેવને, તે તારકના સાધુઓને અને તે તારકનાં આગમપ્રણીત અનુષ્ઠાનોને માનતા નહોતા, તેમ ગાળો પણ નહોતા દેતા ! પેલા શ્રી જિનેશ્વરદેવાદિને ઓળખતા નહોતા, પણ તેની સામે આંખોય નહોતા કાઢતા. નિષ્કારણ આંખો કાઢનારા વશ થાય ? નહિ જ, કારણ કે એ તો વૈરી. એને વશ કરવા જઈએ તો ગુસ્સો ફાટી નીકળે. આવાને વશ કરવા જઈએ તો ધર્મ ઉપર ડબલ પગ મૂકે ! દુશ્મન પણ બે જાતના હોય. એક તો એવા કે નમવાથી તોષ પામે અને બીજા એવા કે નમવાથી રોષ પામે. દુશ્મનને ઓળખ્યા પછી માથું નમાવો. કજાત આગળ માથું ન નમાવાય. જો ત્યાં નમાવો તો માથું કાપી પણ નાખે. અસહકાર પણ સ્નેહી સાથે હોય, કૂર સાથે ન હોય. વિવેકી આગળ બધું થાય. છોકરો પણ સગી માથી રિસાય, પણ ઓરમાનથી ન રિસાય. સગી માથી રિસાય તો એ ન ખાય ત્યાં સુધી માને ખાવું ન ભાવે અને અંતે મનાવીને પણ ખવરાવે : જ્યારે ઓરમાન માને તો એટલું જ જોઈતું હતું. દુશ્મનને પણ ઓળખ્યા પછી માથું નમાવજો. ઘરના તો તે, કે જે તારકની આબરૂ સાચવે : આ તો તારકની આબરૂની ફજેતીમાં જ રાજી છે. જે છોકરાને બાપની આબરૂની દરકાર ન હોય, તે ઘરમાં કેમ પાલવે ? એ બાપ તો કહે કે આથી વાંઝિયો હોત તો ઠીક એ બાપ નોટિસ આપીને પણ એ છોકરાને બહાર કાઢે પછી એ બોલે તો દુનિયા પણ સમજે કે બહાર કાઢેલો બોલે છે. એવા દીકરાને ઘરમાં રાખવાનો લોભ કરવાથી પરિણામે તે વધારે ફજેતી કરશે. ચાર દિવસ મોડું દેવાળું નીકળતું હશે તો વહેલું નીકળશે. પોતાના તો તે જ કે જે પોતાનાને માને. સભા : એકવારના “આદેશ'ની અસર થાય, છતાં અનેક વારના ‘ઉપદેશની અસર
કેમ નહિ ? આદેશથી થતી અસરમાં કારણ શરમ છે અને ઉપદેશથી થતી અસરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org