________________
૩૧૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
તોયે તમારે તો છોડવી પડશે કે નહિ ? ખરેખર, શ્રી જિનેશ્વરદેવનો ધર્મ દુનિયાના ધર્મથી જુદો છે. એ ધર્મમાં લેવા માટે દેવાનું વિધાન નથી. લેવા માટે દેવું એ તો વેપાર છે, પણ એને ધર્મ કેમ કહેવાય ? ધર્મ દુન્યવી વેપાર માટે નથી ! દુનિયાના પાપ-વ્યાપારોને છોડવા માટે ધર્મ છે. પુદ્ગલમાં મૂંઝવનારી ચીજને છોડવી તે ધર્મ. આ સમજાય તો ત્યાગ ગમે. લેવા માટે છોડવાની વૃત્તિ, એ દયા કે દાન ખરાં નથી ત્યાં હિંસા છે, કે જે પરિણામે હિંસાને પોષે છે.
જ્ઞાની કહે છે કે લોભીની દયા અને લોભીનું દાન હિંસામય છે. લોભી એ જ ઇચ્છે કે આ દયાથી તથા દાનથી ઘણું મળે, પછી આરંભ-સમારંભ વધે અને ખૂબ સાહ્યબી ભોગવાય ! આથી જ મિથ્યાષ્ટિની સુંદર પ્રવૃત્તિ પણ પરિણામે અસુંદર છે અને મિથ્યાષ્ટિના દેખીતાં સુંદર પરિણામ પણ તાત્વિક દૃષ્ટિએ અસુંદર છે. માટે મિથ્યાષ્ટિની ક્ષમા એ પણ મોહની મૂચ્છ છે તથા એની શાંતિ એ પણ પરિણામે અશાંતિ છે કેમ કે એનું ધ્યેય જ જુદું છે. લોભી દાન આપે તે લેવાની ઇચ્છાએ આપે. વિદ્યાની સાધના વખતે શ્રી રાવણનો તપ તથા ત્યાગ કમ હતાં ? છ-છ મહિના સુધી ભયંકર ઉપસર્ગ સહ્યા હતા, પણ હેતુ કોઈ વિલક્ષણ જ હતો. એ વિદ્યાના યોગે શત્રુનો સંહાર કરી મોટી સાહ્યબી મેળવવાનો હેતુ હતો. આ ભાવના હિંસક છે. લોભીના દાનમાં પણ આવી ભાવના હોય. સાચા ધર્મીઓથી દાનમાં કૃપણતા ન થાય, પણ પુદ્ગલવાસિત વસ્તુઓમાં કૃપણતા થાય. શ્રાવક જમવા બેસે ત્યાં ત્યાગ કરે : આ ન ખાઉં, આ ન ખાઉં - એમ ત્યાગ કરે : પણ દેવા બેસે ત્યાં - “આ ન દઉં, આ ન દઉં” એમ ન કરે. પોતે ખાવામાં ત્યાગભાવનાથી પાંચ જ ચીજ વાપરે તે ધર્મારાધન કહેવાય, પણ સાધર્મિકને જમાડવા બનતી બધી ચીજો ભાવપૂર્વક કરે, કેમ કે ત્યાં ભક્તિનો હેતુ છે. પોતે જમવામાં દ્રવ્ય એટલે પદાર્થ ઓછા કરવા, એ ધર્મવૃત્તિ અને સાધર્મિકને જમાડવામાં ઓછા કરવા, એ લોભવૃત્તિ એટલે પાપવૃત્તિ ! લક્ષ્મી મેળવવામાં કૃપણતા હોય, પણ દેવામાં તો ઉદારતા હોય. રોજ બહુ કમાય ઉદાર કે બહુ વાપરે તે ઉદાર ? બહુ લેવાની વૃત્તિવાળો ઉદાર કે બહુ દેવાની વૃત્તિવાળો ઉદાર ? પુણીઓ શ્રાવક સાડા બાર દોકડા કમાતો અને એમાં ચલાવતો : એને બહુ સંતોષી કહ્યો : પણ દેવામાં જે કમી કરે તે તો કૃપણ જ કહેવાય. જ્યાં કૃપણ થવું જોઈએ ત્યાં ઉદાર બનો છો અને ખાવાપીવાદિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org