________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
આવે ? જેને ખાવાનું પૂરું જ્ઞાન નથી, એક વેપારમાં દશ વાર તો ખોટ ખાય, જે કહેલી એક પણ વાતને સફળ ન કરી શકે, એવા વિષયમાં રાચેલામાચેલાઓ પોતાના વિચારો ધર્મગુરુઓ ઉપર લાદવાના પ્રયત્નો કરે, એના જેવી અધમતા બીજી કઈ હોય ? એ ભયંકર અધમતા છે : પછી સુખ ક્યાંથી મળે ? ‘વેપાર નથી, વેપાર નથી’ એ બૂમ મારો છે ને ? વેપાર કચાંથી હોય ? બીજ બળ્યું કે જમીન બળવાની જ ! બજારમાં લાલપીળાં દેખાય તે મોંને લઈને કે પુણ્યને લઈને ? પુણ્ય પરવાર્યું કે લાલપીળાં આપોઆપ શ્યામ થવાનાં ! જેઓ દેવ, ગુરુ અને ધર્મને પોતાને આધીન માને છે, તેઓ ખરે જ સ્વ-પરનાશક છે.
૩૧૪
પેથડશાની ભાવના તો એ હતી કે ‘શ્રી જિનેશ્વરદેવનું મંદિર હશે તો હજારો લોકોનાં મોંમાં ‘જિન’ શબ્દ પેસશે : પરિણામે આજે નહિ તો ભવાંતરે પણ એ શબ્દના યોગે એ બિચારાઓને જૈનધર્મની પ્રાપ્તિ થવાનો સંભવ છે. અને એ જ કારણે પારકા રાજ્યના મંત્રી હેમાદિના નામે પોતે ધર્મશાળા ખોલી અને એમાં ત્રણ વરસમાં સવા કરોડ સોનૈયાનો ખર્ચ કર્યો. વ્યવસ્થા એવી સુંદર રાખી કે એ ધર્મશાળાના મુસાફરો ગામેગામ પ્રશંસા કરે : આવે તેને લેવા જવા, મૂકવા જવા અને સાચવવા : ખાતર-બરદાસ્ત કરવી : એમાં કમી ન રાખી. નામ હેમાદિનું અને ખર્ચ પોતાનો ! આ પ્રશંસા કેટલેક દિવસે હેમાદિને કાને પહોંચી : એ તો કૃપણનો કાકો હતો : એણે વિચાર્યું કે ‘આ છે શું ?’ પોતે તપાસ કરાવી તો વાત સાચી લાગી : બધા નોકર-ચાકર-મુસાફર હેમાદિનું જ નામ દે : પોતે જાતે તપાસ ક૨વા ગયો પણ કોઈ હેમાદિ સિવાય બીજું ન કહે : એ મંત્રી અજાયબ થયો : આખરે ધર્મશાળાના ઉપરી પાસે જઈને દબાવીને કહ્યું કે હેમાદિ તો હું છું, માટે સાચું કહો કે આ ધર્મશાળા કોની છે ?' ત્યારે વખત જોઈને એ અધિકારીએ કહ્યું કે ‘આપના નામથી આ ધર્મશાળા પેથડશા મંત્રી ચલાવે છે.’ એ હેમાદિ મંત્રી ત્યાંથી પોતાની મેળે એ રાજ્યની રાજધાનીમાં પેથડશાને ઘેર ગયો. શું પેથડશા બોલાવવા ગયા હતા ? નહિ જ, પણ એ ઔદાર્યના યોગે વગર બોલાવ્યે સામાને આવવું પડ્યું. શાથી ? મૂઠી ખુલ્લી હતી માટે ! હેમાદિનો સત્કાર કર્યો : આતિથ્ય કર્યું : હેમાદિએ પેથડશાની પ્રશંસા કરીને કહ્યું કે ‘હું આપ કહો તેમ કરવા તૈયાર છું : આપની ઇચ્છા વ્યક્ત કરો !' પેથડશા કહે છે કે ‘કરવું હોય તો કરો, હું કહેતો નથી : આપથી થાય તો હા પાડો !'
Jain Education International
1054
For Private & Personal Use Only
www.jainelibrary.org