________________
105s
- ૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 -
--
૩૧૩
પરમવીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવના ધર્મની સાક્ષાત્ યા પરોક્ષ વાસના વિનાનો ગૃહસ્થાવાસ, એ ગૃહસ્થાવાસ નથી : પણ એક રીતનો નરકાવાસ છે. કારણ કે જૈન ગૃહસ્થના ઘરનું ખરું ભૂષણ, ખરી સમૃદ્ધિ ને ખરી ખ્યાતિ એ જ છે. તેમ જ એનો પ્રભાવ પણ એવો છે કે જેના યોગે ઘરનાં સ્વજનો તો ઠીક, પરંતુ નોકરો પણ એવા બની જાય છે કે દરેક રીતે ગૃહસ્થને શાંતિનું કારણ મળ્યા કરે. ધર્મ આવ્યા વિના તો શેઠ શેઠાઈ પણ નથી કરી શકતો. તિજોરીની ચાવી કેડે ને હૈયામાં હોળી, એ દશા થાય છે : જ્યારે યોગ્ય આત્માઓ સંસ્કારોને લીધે બીજાને કેળવી નોકરોથી પણ નિશ્ચિત બની શકે છે. આથી સાધુ ન બનાય તો સાચા સદ્ગુહસ્થ પણ બનો. સાચો સદ્ગુહસ્થ તો તે છે કે સાધુ થવાની ઇચ્છામાં રમતાં શક્તિ મુજબ પ્રભુકથિત ધર્મનું પાલન કરે અને પ્રભુની આજ્ઞામાં દઢ રહે. પરમ ઉદાર પેથડશાઃ
પેથડશાએ દુશ્મનના રાજ્યમાં, પણ ત્યાંના રાજ્યનાં માણસોને પોતાનાં બનાવ્યાં. ત્યાંના રાજ્યની ખાનગી વાત એ જાણે : ત્યાંના સારા પણ ગણાતા એ પેથડશાને આધીન : બધા એનું ભલું ઇચ્છે. શાથી ? લાંચથી નહિ હોં, કારણ કે એ તો અનીતિ ગણાય. ઉદાર પેથડશા જેને-તેને આપતા એ વાત ખરી, પણ “અમુક કામ કર’ એ વાત નહિ ! જે આવે તેને આપતા. એમણે એવી ઉદારતા વાપરી કે પરરાજ્યનાં માણસોને પણ વશ કર્યો. એ રાજા તથા રાજ્ય આખું મિથ્યાદષ્ટિ હતું : ત્યાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર બાંધવાની પેથડશાની ઇચ્છા થઈ : “જ્યાં જૈન ધર્મનું નામ પણ ન હોય ત્યાં પણ શ્રી જિનમંદિર બંધાય, તો એ બહાને પણ હજારો લોકોનાં મોંમાં “શ્રી જિન' શબ્દ પ્રવેશે' એ ભાવના એમની હતી : “આવું આલંબન હોય તો કોઈક દિવસ પણ અનુયાયી બને' - એવા એ પુણ્યશાળીના વિચારો હતા. આજે તો હોય તેને પણ ઉખેડી નાખવાની વાતો થાય છે, કારણ કે વૃત્તિ જ કોઈ જુદી થઈ ગઈ છે ! “આપણા આધારે એ નભે છે' - આ માન્યતાએ જુલમ કર્યો છે. એવી પામર ભાવનાના સ્વામીઓને પૂછો કે દેવ, ગુરુ, ધર્મ અને આગમ વગેરે શું તમારા આધારે જીવે છે? કારણ કે આજના એ લોકો એ બધાને પોતાના આધારે જીવતા માને છે ! જો એમ ન હોય તો વિષયના કીડાઓ ધર્મગુરુઓ પાસે પોતાની માર્ગવિરુદ્ધ અજ્ઞાન વાતો કબૂલ કરાવવાની ભાવના રાખે ? “આ જમાનામાં આ ઠીક નથી' વગેરે ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org