________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
વિચાર જ કરવો નથી : માટે એ દયા દૂધના ઊભરા જેવી છે : આવે અને શમી જાય : તેમજ દયાનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાયાથી હૃદયમાં કેટલાય કુવિકલ્પો ઊઠ્યા જ કરે !
૩૧૨
સભા : કેટલાકો એવું વિચારે છે કે પૈસા આપીને કસાઈના હાથમાંથી ગાયને છોડાવીએ તો એ પાછી બીજી લાવીને મારશે, તેથી એવો બચાવ શું કામનો ?, - આ વિચાર વાજબી છે ?
1052
એ વિચાર તદ્દન ખોટો છે. જો એવું વિચારશો તો બચાવવાનો માર્ગ જ નહિ રહે અને એના પરિણામે દયાનો પણ નાશ થશે : માટે કુવિકલ્પો તજી દયાના સ્વરૂપને સમજો. જે પ્રાણીને બચાવવો હોય-જેનું દુઃખ દૂર કરવું હોય, ત્યાં બીજા આવા વિચાર જ ન હોય. હૃદયમાં એવી ઉત્તમતા કેળવો અને એવી ઉત્તમ ભાવના તથા ઉત્તમ દેખાવથી દયા તથા દાન વગેરે કરો કે એ જોઈને હિંસક પણ અહિંસક થાય. જો યોગ્ય રીતની પ્રવૃત્તિ કરવામાં આવે, તો જરૂર સામા ઉપર છાયા પડે. કોઈ અભવી કે દુર્ભાવી હોય અને એવા ઉપર છાપ ન પડે એ વાત જુદી છે. એવા ૫૨ છાપ ન પણ પડે : પણ શુદ્ધ હૃદયથી દયા કે દાન થાય, તો યોગ્ય એવા સામા ઉપર છાયા પડ્યા વિના ન જ રહે. અનુકંપાને શાસ્ત્રકારે ધર્મપ્રભાવનાનું બીજ કહ્યું છે : પણ એ કચારે થાય ? કહેવું જ પડશે કે મુઠ્ઠી ખુલ્લી હોય તો ! મુઠ્ઠી બંધ હોય તો ન થાય. ખુલ્લી મુઠ્ઠીએ દેનારની શરમ એવી પડે કે લૂંટારો પણ શાહ બને ! ગુનેગાર પણ એની સામે નીચું જુએ ! જ્યારે બાંધી મૂઠીવાળાને કોઈ ન ગણે ને મુઠ્ઠી ખૂલે ક્યારે ? લક્ષ્મીની મૂર્છા ઊતરે તો ને ? એ મૂર્છા નથી ઊતરતી એના આ બધા કુવિકલ્પો છે. દુનિયાને છોડવાનું ગમતું નથી, એની જ આ ઉપાધિ છે.
દયામાં, દાનમાં, બીજાં ધર્માનુષ્ઠાનોમાં બધે જ વાણિયાવૃત્તિ આવી કચાંથી ? હિસાબ ગણીને આપવાનું સૂઝયું ક્યાંથી ? લાભ અને અલાભમાં આત્મા ડોલતો હોય ત્યાં તો હિસાબ ગણાય, પણ જ્યાં લાભનો નિશ્ચય જ હોય ત્યાં હિસાબ ગણવાનો હોય ? પ્રભાવના મૂઠીથી ન દેવાય, પણ ખોબે દેવાય. વ્યવહારમાં કહેવાય છે કે મહેમાનને ઘીની વાઢીથી ધીમે ધીમે થી ન પીરસાય : એ વાઢી તો ઊંધી જ વળવી જોઈએ : મહેમાન ભલે ના કહે, પણ જો પીરસનાર એમાં ઢીલાશ કરે તો આબરૂ જાય : એ ગૃહસ્થનું ઘર ન કહેવાય. એ જ રીત અનુકંપા દાન માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org