________________
૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ?
દયાનું વાસ્તવિક સ્વરૂ૫ :
પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂત' નામના અધ્યયનના પહેલા ઉદ્દેશામાં ઘણી વાતો ફરમાવી રહ્યા છે અને સૂત્રકાર મહર્ષિના આશયને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ પણ ઘણી વાતો ફરમાવી ગયા તથા હવે કાચબાના દૃષ્ટાંતનો ઉપનય કરતાં ફરમાવે છે કે “સેંકડો ભવે મહામુશીબતે મળે એવું સમ્યક્ત્વ પામ્યા પછી વિવેકી આત્માઓએ એક ક્ષણ પણ પ્રમાદી ન થવું જોઈએ, કારણ કે પ્રમાદ એ મહાભંયકર છે અને આત્માને ભયંકર હાનિ કરે છે ? એના જેટલી હાનિ દુનિયામાં બીજું કોઈ જ કરતું નથી !' ભોગસુખમાં પડીને અમનચમન કરતા દુનિયાના આત્માઓને મુખ્યતયા ત્યાગ માર્ગે જવાનું જ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું : કારણ કે એ તારકમાં “આ બધા બિચારાઓ પ્રમાદથી ગબડી પડશે તો મળેલી ઉત્તમ સામગ્રીને હારી જશે અને તેથી ભયંકર સંસારમાં ચિરકાળ સુધી આથડ્યા કરશે, તો અનિચ્છાએ પણ તેઓને અનંત યાતનાઓ ભોગવવી પડશે માટે આ બિચારાઓ એવી ભયંકર દુર્દશામાં ન મુકાય તો સારું' - આ પ્રકારની અનુપમ ભાવદયા હતી. પણ આ વાત કોણ સમજે ? તે જ, કે જે પ્રમાદના સ્વરૂપને, તેના ભયંકર પરિણામને અને એના વિપાકને સમજી શકે છે ! એ ન સમજાય એને શ્રી જિનેશ્વરદેવની એ ભાવદયા વાસ્તવિક રીતે પરિણામ પામતી નથી. નાનામાં નાના પ્રાણી પ્રત્યે પણ દયા રાખવાનું, એ દેવાધિદેવે વિધાન કર્યું કેમ કે કોઈ પણ પ્રાણી દુઃખને ચાહતો નથી. દુનિયાનાં બીજાં બધાં પ્રાણીઓ કરતાં મનુષ્યો વધુ યોગ્ય છે, કારણ કે તેઓ ધારે તો વિવેક મુજબનું વર્તન પણ મેળવી શકે : માટે અનંત ઉપકારીઓએ મનુષ્યોને ઉદ્દેશીને એકસરખી રીતે ત્યાગ ઉપદેશ્યો : કારણ કે સાચા ઉપકારીઓની દયા એ જાતની છે અને તે નિર્દેતુક નથી જ. એ દયાળુઓ જોઈ રહ્યા છે કે “મહામુશીબતે મળેલા માનવજીવનમાં દુર્લભાતિદુર્લભ એવું શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છતાં પણ જો આ બિચારા પ્રમાદમાં પડશે, તો પાછા ગબડી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org