________________
૧૯ઃ સંઘ કેવા ઠરાવ કરી શકે ?
69
• દયાનું વાસ્તવિક સ્વરૂપ :
• તો હિંદુસ્તાન ઝળકે : • અનુકંપાદાનમાં શું વિચારાય ?
• સંતાનને ધર્મકુશળ બનાવો ! • પરમ ઉદાર પેથડશા :
• પ્રતાપના ગુણ શાથી ગવાય છે? • લેવાની વૃત્તિએ દેવું તે દાન નથી ! ૦ વિધવાઓનો વિરોધ : • ધર્મ, અધર્મી અને વિરોધી !
૦ આજ્ઞાભંજકની ભયંકરતા : • ચોકીદારનું કર્તવ્ય :
• ચોથું મહાવત : • પરીષદ વિચારે શું ?
આપણો મુદ્દો : વિષયઃ દાનની પાછળનો આશય, પ્રભાવનાની રીત, જૈનસંઘ વિષથર્ન વધારનારા
ઠરાવ કરે કે ઘટાડનાર ? જૈન નામધારીઓ પણ જે કાળમાં “મંદિર-મૂર્તિ જોઈએ નહિ, ધર્મમાં દાન એ ધુમાડો છે માટે બંધ કરો, દિીક્ષા અને બાળદીક્ષાને બંધ કરો અને વિધવાઓના સંસાર ફરીથી સજાવો (પુનર્લગ્ન કરો)' આ રીતના ઠરાવો કરતા થયા હતા અને જૈન સાધુના વેષમાં રહેનારા કેટલાક એવાઓની પરિષદોમાં હાજરી આપી ‘હા એ હા' કર્યા કરતા હતા તે કાળ ને તે સમયને વિશે ‘રામવિજયજી' નામના એક વાવાઝોડાએ એમના એ સર્વ કુતર્કોને પત્તાના મહેલની જેમ ધારાશાયી કરી દીધા હતા. એ સમયે કહેવાતું કે મડદું જીવતું થઈ ગયું હોય તો નક્કી એના કાને ‘રામવિજયજી'નું વ્યાખ્યાન પડ્યું હશે. એ તોફાની છતાંય તદ્દન શાસ્ત્રાનુસારી પ્રવચનોની ઝલક આ પ્રવચનમાં આબાદ ઝડપાઈ છે. એમાં શું છે એ લખવા કરતાં વાંચવાની જ અલગ મજા છે. આમાંનો કેટલોક ભાગ તો ગોખીને વારંવાર મમળાવવા જેવો મધમીઠો છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ માટે કે સમ્યગ્દર્શનના ઇચ્છુક માટે જ.
મુલાકાdji • ખુલ્લી મુઠ્ઠીએ દેનારની શરમ એવી પડે કે લૂંટારો પણ શાહ બને ! • પ્રભાવના મૂઠીથી ન દેવાય, પણ ખોબે દેવાય. • જિનધર્મની સાક્ષાત્ યા પરોક્ષ વાસના વિનાનો ગૃહસ્થાવાસ પણ એક રીતનો નરકાવાસ છે. • જ્યાં જૈન ધર્મનું નામ પણ ન હોય ત્યાં પણ શ્રી જિનમંદિર બંધાય, તો એ બહાને પણ હજારો
લોકોના મોંમાં “શ્રી જિન' શબ્દ પ્રવેશે. ૦ જેઓ દેવ, ગુરુ અને ધર્મને પોતાને આધીન માને છે, તેઓ ખરે જ સ્વ-પરનાશક છે. • શ્રી જિનેશ્વરદેવનો ધર્મ દુનિયાના ધર્મથી જુદો છે. એ ધર્મમાં લેવા માટે દેવાનું વિધાન નથી.
લેવા માટે દેવું એ તો વેપાર છે. • પુદ્ગલમાં મૂંઝવનારી ચીજને છોડવી તે ધર્મ,
આદેશથી થતી અસરમાં કારણ શરમ છે અને ઉપદેશથી થતી અસરમાં કારણ ધર્મ છે. ૦ જેટલા પ્રયત્નો વિષયો વધારવાના થાય છે, તેટલા ઘટાડવાના કરવામાં આવે તો આજે હિંદુસ્તાન ઝળકે. • બીજાને પરમાર્થી બનાવતા પહેલાં તમે બનો, કે જેથી સામા ઉપર છાયા પણ પડે. • અટવીમાં ભીખ માગી ખાવી સારી, પણ આજ્ઞાભંજક એવા ભયંકર કતલખાનાનો આશ્રય લેવો એ સારું નથી. • આજ તો હજી આનંદપૂર્વક બેસવાનાં સ્થાન આપણે માટે છે, પણ જો એવો વખત આવે કે ઊભા રહેવાની પણ જગ્યા ન હોય અને એ વખતે પણ આપણે જો ધર્મમાં ટકીએ તો જ આપણે સપૂત, નહિ તો કપૂત. “મારું ઘર, મારું ઘર કર્યા કરશો તો ભીખ માગશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org