________________
૩૦૮ -
- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
1049
તેને બચવાની બારી નથી. જ્ઞાનીને વધારે પાપ કહ્યું છે તેવા જ્ઞાની માટે, કે જે જ્ઞાની ઇરાદાપૂવક નફફટ બનીને અને સત્યની અવગણના કરીને પાપ કરે : કેમ કે તેવાની વૃત્તિ બહુ જ મલિન ને બહુ જ દૂર થાય ત્યારે જ બને. બાકી અજ્ઞાની તો મરી જ રહ્યો છે, કેમ કે એ તો પાપને પાપ સમજે જ નહિ, એટલે આંખો મીંચીને જ કરે. જાણકાર તો આબરૂ જવાના કારણે ઝેર પીએ, પછી તાર આવે કે આબરૂ રહે એમ છે તો ડૉક્ટરને બોલાવીને ઝેર કઢાવે અને નાચે, પણ મૂર્ખા ખાય તો એ તો કાંક થાય છે, એમ કહી કહીને જ આખરે મરી જાય : તેવી જ રીતે મરી જ જવું છે એવો નિર્ણય કરીને જાણનાર પણ ઝેર ખાય, એને પણ બચવાનો ઉપાય નથી. જાણીને પણ લાચારીથી ન ચાલ્યું પાપ કરવા છતાં સમ્યગ્દષ્ટિને અલ્પ બંધ, એનું કારણ એ જ છે કે એ જાણકાર છે અને પાપથી ડરનાર પણ છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એક જ ચીજ એક જ સાથે ખાય, પણ એક સમ્યકત્વના યોગે નિર્જરા કરે અને બીજો મિથ્યાત્વના યોગે કર્મબંધ કરે, કારણ કે એક જ્યારે પુદ્ગલને ભાડું આપવાનું છે એમ સમજે છે, ત્યારે બીજો આનંદપૂર્વક જમે છે. આથી જ અનંત ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સમ્યકત્વ પામીને વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org