________________
- ૧૮ : પ્રમાદનો પરિહાર - 68
-
૩૦૭
કદી જ નહિ. કારણ કે જે સમજશે તેને વૃત્તિ થશે, પશ્ચાત્તાપ થશે, એ આજ નહિ તો કાલ કરશે, પણ ન સમજે તે તો ખોટું ! વ્યાધિને ખોટો માને એ કદી કડવી દવા એક-બે દિવસ ન પીએ, પણ આખરે પીએ : કેમ કે પથારીને ખોટી માને છે : સાકરનો ગાંગડો લઈને પણ કડવી દવા પીએ : અડધી કાઢી નાખે તો પણ પીએ, બીજે દિવસે બધી દવા પીએ, ફાયદો દેખાય તો દવા મંગાવવાની કાળજીયે રાખે અને દવા માગીને પણ પીએ. પરંતુ જે રોગી પથારીમાંથી ઊઠવા જ ન માગે તેવો એદી હોય, એનો ઉપાય જ નહિ. જન્મના નફફટ કેદીને કેદથી છૂટવું ન ગમે એને શરમ પણ નહિ. એ તો કેદને જ ઘર માને. પોલીસ બહાર કાઢે ત્યારે બેડીને અલંકાર માને, અને આગળ પાછળ પોલીસ છે એવી બાદશાહી માને તથા ઊલટા મૂછે હાથ ફેરવે ! આવા નફફટ કેદી માટે ઉપાય હોય ? પોલીસ મારે તોયે બરડો હલકો થયો માને. આવાને તો પોલીસ પણ મારી મારીને થાકે, પણ એને અસર ન થાય. માટે એવા નહિ બનતાં સમજદાર થઈને તમે પણ જ્ઞાનીએ કહેલી ક્રિયા કરો, સમજો, પછી તમારી મેળે કરવાનું મન થશે. તમને ત્યાગના માર્ગે વાળવાનો શાનીનો હેતુ એ છે કે તમે રખડતા જ ન રહી જાઓ ! સભા : અહીં સાંભળીએ ત્યાં સુધી તો ખુમારી રહે છે, પણ બહાર ગયા પછી જતું
રહે છે. કંઈ ફિકર નહિ એ બે કલાકની ખુમારી પણ કાયમ રહે એવી કરવા માટે તો હું રોજ બેસું છું કે વિરોધીઓ ના કહે છે તોયે બેસું છું. કેટલાક કહેતા હતા કે મોહમયીમાં વસનારાઓને તો ત્યાગનો ઉપદેશ ગમશે જ નહિ, પણ યોગ્ય આત્માઓને શ્રી જિનેશ્વરદેવના ત્યાગની ઊંચી માત્રા ન ગમે એ બને જ કેમ ? નફફટ કેદી જેવાની વાત જવા દો. નઠોર વિદ્યાર્થી તો ગમે તેવા પ્રોફેસરને પણ અયોગ્ય કહે, પણ હોશિયાર વિદ્યાર્થી તો વિદ્વાન પ્રોફેસરથી રાજી થાય અને એનાથી લેવાય તેટલા લાભ લે. તમે કર્મરોગને તો ખોટો માનો છો, એટલે આજે ઔષધ ખાતા નથી પણ જો તેના સ્વરૂપથી સારી રીતે વાકેફ થશો તો ખાશો. બધા આ ભવમાં જ દીક્ષા લે એમ નથી, પણ ભવાંતરે પણ દીક્ષા ઉદયમાં આવે એવા બનો, એવી ઇચ્છા તો મારી ખરી. સભાઃ જાણીને પાપ કરે એને વધારે પાપ કે અજાણને ? જે ઝેરને જાણીને ખાય તેને માટે બચવાનો રસ્તો છે, પણ મૂર્ખા ઝેર ખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org