________________
1Aડ
–
– ૧૮ : પ્રમાદનો પરિહાર - 68
૩૦૫
ત્યાં તો વિષમવાદ છે. જ્યાં લેવું-દેવું બેઠું છે ત્યાં સામ્યવાદ કહેનારા મૂર્ખ છે. જ્યાં લેવું દેવું નથી ત્યાં સામ્યવાદ છે. કયાં ? મુક્તિમાં ! એકને બધું જ લેવું છે અને બીજાને દેવું નથી, ત્યાં સામ્યવાદ બને જ નહિ. અનાદિકાળથી આ અનંત સંસારમાં સમાનતા બની જ નથી. સમાનતા હોય તો માણસો પશુને ખાય છે, તેમ પશુઓ માણસોને ખાય તેવી છૂટ તેમને આપો. સમાનવાદ છે ક્યાં? સામ્યવાદ હોય ત્યાં રાજા, પ્રજા, મંત્રી, કાયદો કાંઈ ન જોઈએ. કાં તો બધા શાહ બને, કાં તો બધા ચોટ્ટા બને. થોડા શાહ અને થોડા ચોટ્ટા બને તો તો કાયદો જોઈએ, નહિ તો ચોટ્ટાઓ શાહને ખાઈ જાય. જ્યાં બે વર્ગ ત્યાં સમાનવાદ બને, એ સંભવિત નથી. દેવ-ગુરુ-ધર્મની દૃષ્ટિ સમજો !
શ્રી જિનેશ્વરદેવોની દયા જુદી કોટિની છે. એ તમે તમારી દૃષ્ટિએ ન જુઓ. તમે ખાવાપીવામાં ઉન્નતિ માની છે, એ ન માનતા. જ્ઞાની ના પાડે છે. આર્ય દેશમાં જૈનશાસન પામીને પથરામાં આત્માની ઉન્નતિ માનવી, એના જેવી મૂર્ખતા દુનિયામાં બીજી કઈ છે? આવી મૂર્ખતાને આધીન ન થતાં, સદ્ગુરુઓની નિશ્રામાં રહીને જ્ઞાનીની દયાને સમજો. નાનામાં નાના જંતુ પ્રત્યે પણ જ્ઞાનીની દયા છે. એ જોઈ રહ્યા છે કે “આ જંતુ બિચારા એવા છે કે આપત્કાળમાંથી ખસી શકે તેમ નથી ! વાત પણ એ જ છે. ઘાસમાં અગ્નિ સળગાવો તો ક્યાં જાય ? શેકાય. મનુષ્ય તો બાળનારને તથા જિવાડનારને સમજી શકે છે. માટે મનુષ્યપણું પામ્યા છતાં પણ જેઓ જ્યાં-ત્યાં ગબડ્યા કરે છે, એ જોઈને શ્રી જિનેશ્વરદેવના આત્માને દયા આવે છે અને જગતને અનાદિ બંધનથી છૂટવાનો ઉપદેશ આપે છે. એના બદલામાં એમના અવર્ણવાદ બોલાય ?
દેવ, ગુરુ, ધર્મની દૃષ્ટિ ઊંડી છે, માટે તે દૃષ્ટિને જરા સમજો. તમારી દૃષ્ટિ પાસે દેવ, ગુરુ અને ધર્મને રમકડાં ન બનાવો. પરલોકનો ભય રાખ્યા વિના અને “હું હું કર્યું કલ્યાણ થતું હોત, તો બધા જ મુક્તિએ પહોંચી ગયા હોત. શાસ્ત્ર કહે છે કે પરમધર્મી થવા માટે ચક્રવર્તીએ ચક્રવર્તીપણું છોડવું પડશે અને હુંપણું કાઢીને જ્ઞાનીઓની આજ્ઞામાં ઝૂકવું પડશે. આજ્ઞાનો રંગ ન જાગે - એનો રંગ ન જામે, ત્યાં સુધી ઓઘાથી કે તિલકથી કલ્યાણ થવાનું નથી. તમને કે અમને એડ્રેને શાસ્ત્ર છોડ્યા નથી. સઘળાને માટે કાયદો એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org