________________
૩૦૪
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
10
ક્રિયાને સારી માને છે, તે સમ્યગ્દષ્ટિ નથી. દાન નહિ કરી શકનારો માત્ર કૃપણ, પણ બીજાને દાન દેતાં જોઈ બળે તો એ કેવળ કૃપણ જ નથી, પરંતુ ભયંકર પાપાત્મા છે. દરિદ્રીના પાડોશમાં વસાય, પણ ઇર્ષાળુના પાડોશમાં ન વસાય. દરિદ્રી પોતે ઝૂંપડામાં રહે, પણ ઇર્ષાળુ તો પોતાના ઝુંપડા જેવું પાડોશીનું પણ ઇચ્છે. પાડોશીની હવેલી જોઈને એ બળે. મળે એવું પુણ્ય કરવાનું સુઝતું નથી, આવડતું નથી, માટે સામાની હવેલીને બદલે એને પોતાના જેવું ઝૂંપડું કેમ થાય એવું ઇચ્છે અને એવા પ્રયત્નો કરે.
એક આદમીને પોતાના પાડોશીને સારો જોઈ ઇર્ષ્યા આવી : પોતે દેવીને આરાધી : દેવી આવી : પોતે પોતાના પાડોશી જેવા થવાની માગણી કરી : ત્યારે દેવીએ કહ્યું કે “તું એવો પાપાત્મા છે કે તને કોઈ રીતે લાભ થાય એમ નથી : તારે જોઈએ તો હાનિ ભાગ : હાનિ વેઠી શકે તેમ હોય તો હું એટલું કરું કે તારા પાડોશીને બમણી હાનિ થાય.” પેલાએ કહ્યું – “એમ તો એમ.’ નાક કાપીને પણ સામાને અપશુકન કરવાની ભાવનાવાળા હોય છે. પોતે પોતાની એક આંખ ફૂટવાની માગણી કરી અને સામાને આંધળો કરવા પોતે કાણો થવા તૈયાર થયો ! ખરો સામ્યવાદ સિદ્ધિસ્થાનમાં જ: સભા બધા સરખા બને તે સામ્યવાદ ખરો કે નહિ ?
બધા” અને “સરખા બને' - એ સંભવિત છે ? હા, તેમ કરવાનો શ્રી જિનેશ્વરદેવે કહેલો એક માર્ગ છે. કચરો કાઢો તો થવાય. સિદ્ધિસ્થાનમાં બધા સરખા છે. કચરો રાખીને સરખા થવાય, પણ એ ન ભૂતો ન ભવિષ્યતિ. આજના સામ્યવાદમાં પણ લીડર એક : ત્યાંયે સ્થિતિ કઈ ? “વક્તા હું અને શ્રોતા તમે.” ફેલાવવો સામ્યવાદ, પણ વક્તા પોતે ! પ્રમુખ તો અમુક જ, બાકીના બધા શ્રોતા. બીજો બોલે તો પ્રમુખ રોકે. આ તે સામ્યવાદ કે વિષમવાદ ? વાત સામ્યવાદની ને વર્તાવ વિષમવાદનો ! વહેંચણી સરખી કરવી પણ ખુરશી કોને ? ડાહ્યાને. મૂર્ખાઓને વહેંચણી કરવા બેસાડશો તો ? પાંચસો જણાને એક પલંગ આપ્યો હતો. પોતે બધા સરખા એટલે એ પલંગમાં સૂવે કોણ ?બધા માય નહિ. આખરે પલંગ તરફ પગ કરીને બધાય સૂતા. મૂર્ખાઓ તો વાસ્તવિક વહેંચણી પણ ન કરી શકે. જ્યાં લેવું-દેવું ન હોય ત્યાં સામ્યવાદ અને લેવું-દેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org