________________
૧૮ : પ્રમાદનો પરિહાર - 68
ખોટો દંભ કરવો છે.' સૌ જાણે છે કે તેલ-મરચું હાનિ કરે, પણ જો તેલ મરચું નીતરે નહિ તો પણ તેવા અયોગ્ય જમનારા, જમાડનારને ભાંડે : પણ આપણો મુદ્દો એ છે કે જમાડનાર જો આ બધું જોવા જાય તો જમાડી ન શકે : એણે તો ભક્તિપૂર્વક જમાડવાની જ ભાવના રાખવી રહી : બાકી દુર્દશાવાળાઓને તો કોઈ જ સુધારી શકતું નથી.
1043
દીક્ષા લેનાર આત્મા પાલખીમાંથી લક્ષ્મી ઉછાળે, એને કોણ લેશે એ નક્કી નથી, પણ એ ન જોવાય : ત્યાં તો શાસનની પ્રભાવના માટે અને લક્ષ્મીની અસારતા જાહેર કરવા માટે દાનબુદ્ધિ જ રાખવાની ! લેનારને જેવો આત્મા તેવું તેને પરિણમે ! માનો કે મુનિને કોઈએ ભક્તિથી અમુક સારામાં સારી ચીજ વહોરાવી, ભાગ્યયોગે મુનિને એ ચીજ ન પચી અને એ ચીજના નિમિત્તે જ વ્યાધિ થયો તથા પરિણામે મુનિ સ્વર્ગસ્થ પણ થઈ ગયા, તો તેથી કાંઈ દાતારને પાપ ઓછું જ લાગે ? નહિ જ, કેમ કે એની ભાવના તો સુપાત્રની ભક્તિ જ કરવાની હતી.
૩૦૩
શાસ્ત્રકારે કહ્યું કે ‘દ્રવ્યાનમાં શુભ પરિણામની ભજના છે, માટે પરિણામશુદ્ધિ અનુસાર એનું ફળ છે.’ જીર્ણ શેઠે દાન ન દીધું અને પૂરણ શેઠે દીધું. જ્ઞાનીએ ફળ કોને વધુ કહ્યું ? જો જીર્ણ શેઠની ભાવનામાં સ્ખલના ન થઈ હોત, તો કેવળજ્ઞાન થાત એવી દશા પામ્યા તે, કે પૂરણ શેઠને લાભમાં સોનૈયા આદિ વરસ્યા તે ! કેમ કે શ્રી તીર્થંકરદેવ જેવા ઉત્તમ આત્મા આહાર લે, ત્યાં સૌનૈયા આદિ તો વરસે જ.
આથી સ્પષ્ટ છે કે અનુકંપાદાન તો ‘સર્વ સુખી થાઓ', એ બુદ્ધિથી દેવાય. ત્યાં બીજું કાંઈ ન જોવાય. સુપાત્ર દાનમાં ભક્તિ જોઈએ. મુનિને દાન દેવાનું તે ભક્તિથી, કેમ કે કર્મની નિર્જરા માટે એ દાન છે. સમ્યગ્દષ્ટિને, દેશવિરતિને, પ્રભુશાસનના પ્રશંસકોને પણ ભક્તિથી જમાડવાનું : ત્યાં પાછું પાંચ લાખવાળા સામે કે પચીસ લાખવાળા સામે ન જોવાય : જો જુઓ તો સાધર્મિક વાત્સલ્ય જ શ્રીમંતવાત્સલ્ય થાય !
ઇર્ષ્યાળુના પાડોશમાં ન વસાય :
સમ્યગ્દષ્ટિમાં સમ્યક્ત્વ ગુણ ખીલવો જોઈએ કે જેથી વિરતિ આવે : પરિણામે વિરતિ ઝળકે. એ આત્મા વિરતિનો વેરી તો ન જ હોય. પોતે વિરતિ લઈ શકતો નથી માટે બીજાને લેવા પણ દેતો નથી અને જે પાછો પોતાની તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org