________________
૩૦૨ –
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
1049
કર, આમ કર' - એ બતાવવામાં પડ્યા તો એની બધી ક્રિયાની અનુમોદનાના ભાગીદાર થયા સમજજો. અનુકંપાથી દેવામાં વાંધો નથી. સમ્યગ્દષ્ટિને ઘરે આવેલો યાચક પાછો ન જાય. તેમને મળેલ સાધનસામગ્રીના ત્યાગથી બીજાઓ પણ, દુઃખી પણ સુખી થાય એવું ઇચ્છે. શ્રી તીર્થંકરદેવે કેટલું દાન દીધું? ઘણુંય.
અનુકંપાદાનનો દેનાર સામો સુખી થાય એ ભાવનાએ દાન દે, પણ એ સામાના વ્યવસાયમાં ન પડે. જો પડે તો પોતે પોતાના માટે હજારો આશ્રવનાં દ્વાર ઊભાં કરે છે. સુપાત્રમાં ગુણાનુરાગ છે, માટે ત્યાં અનુમોદના હોય. કૂતરું આખો દિવસ માખી ખાય છે, પણ મૂછિત થાય તો પાણી નાખો કે નહિ ? અથવા સામાન્ય રીતે પણ રોટલાનો ટુકડો વગેરે નાખો કે નહિ ? કહોને કે નાખીએ જ, કારણ કે એ જીવીને માખો ખાશે એ વગેરે ત્યાં ન જોવાય. દરેક માણસ કેવો છે એ જોવા બેસો તો અનુકંપાદાન ન થાય. દુઃખનું દુઃખ દૂર કરવું એટલી જ ત્યાં ભાવના છે. અનુકંપાદાન દેનારા પણ એવા હતા કે ચાલુ દાન લેવા આવનારા અધર્મી પણ ધર્મી થઈ જાય. નીચ પણ એવા થઈ જાય કે એના ઘરનું મળે તો ખાય, નહિ તો ભૂખ્યા રહે એની અને એના ધર્મની પ્રશંસા કરે. એને ત્યાંથી મળે એ ખાય, બાકી નિભાવે : આધાર એને માને. દેનારમાં કલા હોય તો સામો પણ સુધરે.
વિધિ ગઈ અને અવિધિ પ્રવેશી, એની જોખમદારી ક્રિયાને માથે કે શાસ્ત્રને માથે ન નખાય! શાહ લખાવનારા બધા શાહ નથી હોતા, પણ માનવા પડે છે : એ રીતે માગવા આવે તેમાં સોમાં પાંચ લુચ્ચા પણ આવે, તે માટે પંચાણુને ન દેવાય એ ન બને ! પાંચે આંગળી સરખી ન હોય, પાંચને પણ તમે તો દુઃખી માનીને સુખી જ કરવા માટે દીધું છે. એનું ભાગ્ય એની પાસે. અનુકંપાદાન દેનાર જો દરેકને જોવા બેસે, તો દાન તો રહી જાય દૂર અને કપાળ કૂટતો રહે. જમવા આવનારમાંથી કોઈ માંદા પણ પડે, માટે એ ન કરાય? માંદા પણ ખાવા આવે છે, માટે એને ના પાડવી ? જમનારાને ભાન ન હોય ને એકના ત્રણ ખાય ત્યાં જમાડનાર શું કરે ? પીરસવાની કૃપણતા કરે તોયે જમનારમાં ભળી ગયેલા અયોગ્ય આત્માઓ તરફથી થાળીઓ પણ ઊડે ! અને એવા આત્માઓ ભાન ભૂલીને વધુ જમે તો માંદા પણ પડે ! પણ એવાઓ ખાતર કાંઈ ડૉક્ટર પણ ૨ખાય ? ડૉક્ટર રાખે તો એવા ઉન્મત્ત આત્મા તો ડૉકટરને પણ મારવા ઊઠે ને કહે કે “ડૉક્ટર રાખવો હતો તો જમણ શું કામ કર્યું ? જમાડવું નથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org