________________
૧૮ : પ્રમાદનો પરિહાર
વગર પાણીએ પણ સમતા રાખી શકે, એવી દયા કરવા સુધી આ જ્ઞાની પહોંચ્યા. જ્ઞાનીની આ દયા તથા અજ્ઞાનીઓની ક્ષુલ્લક દયામાં જમીન-આસમાન જેટલો તફાવત છે, માટે જ્ઞાનીના આશયને સમજો.
1041
→
68
જ્ઞાની જોઈ રહ્યા છે કે અહીં ખાવાપીવામાં લેપાનારની પરિણામે એ દશા છે કે નતીજા વખતે ચીસો પાડ્યે પણ પેટ નહિ ભરાય. આવું ભવિષ્ય જોઈને જ જ્ઞાનીઓને દયા આવે છે. ચોરને ચોરી કરવા જતો જોઈ શાહુકારને દયા આવે કે ‘જાય છે તો ખરો, પણ ઘેર આવે તો ભાગ્ય ! બને તો એને ન જવા સમજાવે. એમ કહે કે ‘ભાઈ ! ભીખ માગ પણ ચોરીનું પાપ ન કર.’
Jain Education International
૩૦૧
સભા : ભીખ માગવાનું કહે ત્યારે હલકો ધંધો કરવાનું ન કહે ?
કારણ
શાહુકારનો હેતુ એ છે કે ચોરી ન કર, પાપ ન કર, પછી જોઈએ તે કર કે ભીખ માગ, પણ પાપ ન કર. શાહુકારે તો પોતાને યોગ્ય લાગે તે કહ્યું, પણ મુદ્દો એ છે કે ચોરી ન કર. હલકો ધંધો કરવાનું પણ એમ તો ન કહેવાય, કે જે ધંધાથી આરંભ વધે તે પણ સમજદારીથી ન કહેવાય. પણ અહીં એ વિષય નથી : અહીં તો મુખ્ય મુદ્દો એ કે ચોરી ન કર : ભીખ માગ પણ ચોરી ન કર. શું આ સલાહને ચોર માને ? એ તો સામે કહે કે ‘મારી કળાથી લાખ લાવીશ.’ આમ કહેનાર અજ્ઞાનીને ‘લાખમાં બાદશાહી નથી' - એવું સજ્જન શાહુકાર સમજાવે, પણ ચોરને એ ન રુચે ! જેમ ચોર કરતાં શાહુકારની દૃષ્ટિ ઊંચી ગઈ, તેમ જ્ઞાનીની દૃષ્ટિ તેઓ કરતાં કંઈક ગણી અધિક છે. એ તારકની દયા ઊંચી છે માટે જ અજ્ઞાનીઓને કહીએ છીએ કે તમે તમારા ભલા ખાતર પણ તમારી દૃષ્ટિના દોષને લીધે અનંતજ્ઞાનીઓની દૃષ્ટિને દોષ ન દો ! આ અજ્ઞાનીઓ તો કહે છે કે ‘જ્ઞાનીપુરુષો તો જ્યાં ત્યાં કીડા બતાવે છે.' પણ તેઓ એ નથી સમજતા કે ‘તમે એવા કીડાઓની અવસ્થામાં ન આવી પડો માટે જ એ બધી વાતો જ્ઞાનીપુરુષો બતાવે છે.’
ન
દાનનું સ્વરૂપ :
બોલવામાં પણ વિવેક જોઈએ, નહિ તો કેટલીક વાર લેવાના દેવા થાય. આપણી ભાષા આપણને ભારે થાય. આપણું હથિયાર આપણને મારે. અનુકંપામાં દેવું એ પુણ્ય, પણ આરંભાદિકમાં ‘આમ કરજે.’ - એમ કહેવું એ પાપ ! અનુકંપાદાન એ ધર્મબીજને પોષનારું છે, પણ આરંભાદિકથી પ્રવૃત્તિમાં ‘આમ
For Private & Personal Use Only
www.jainelibrary.org