________________
૩૦૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -
- 1040
જ ! જેને દુઃખી એવા પ્રાણી પર દયા નથી આવતી. તેને સુખી પ્રાણી પર દયા શી રીતે આવે ? માંકડ જેવા નાના જંત, બિચારા કરડવાની બુદ્ધિએ નથી કરડતાં – એમનાથી કરડાઈ જાય છે, એવાને પણ મારે એ મોટા પર દયા કેવીક કરશે ? જેને મૂંગાની દયા નથી, તેને બોલતાની દયા કેવીક આવે ? જેને એકેન્દ્રિયાદિની દયા નહિ, તેને વાસ્તવિક રીતની પંચેન્દ્રિયની દયા આવે એ ઘણું જ કઠિન છે. જેઓ એકેન્દ્રિયાદિ જેતુને સાચવી કાળજીપૂર્વક પગ મૂકે – પોતે ખસીને ચાલે, તેઓ તો માણસને જગા આપે, પણ જંતુ ઉપર પગ મૂકે એ તો જગા માટે માણસ સાથે પણ લડે જ ને ? જેને ગાઢ દુઃખી પ્રત્યે દયા નથી આવતી, તેને બીજા માટે સાચી દયા શી રીતે આવે ? કદી કલ્પો કે ત્યાં દયા છે, તો એ અધૂરી છે. એ ઓઘકરણી છે. નાના જીવોનાં જીવતરને નહિ ઓળખનારા તથા એમની દયા નહિ પાળી શકનારા, મોટા જીવોની દયા કરે જ નહિ એ કાયદો નથી, પણ જેવી નાના પ્રત્યે દયા કરનારા મોટા પ્રત્યે કરી શકે, એવી દયા તો એ નહિ જ કરી શકે એ નક્કી. આ ફરક જેવો-તેવો નથી.
શ્રી તીર્થંકરદેવોને, મનુષ્યોને જ નહિ પણ દેવોને જોઈનેય દયા આવે છે : કારણ કે તે તારકો જોઈ રહ્યા છે કે “આ બિચારા મહામુશીબતે અનંતકાળે અહીં આવ્યા છે એ ગબડીને ગયા તો પાછા બહુ દુઃખી થશે.” દુનિયાની દયા જુદી છે, ત્યારે ભગવાનની દયા જુદી છે. ફરીને ગબડી ન જાય માટે ભગવાન ત્યાગનો ઉપદેશ આપે છે. તે તારકો ખાવા, પીવા, પહેરવા કે ઓઢવાનો ઉપદેશ નથી આપતા, કારણ કે પાંચ-પચાસ વરસ ખાધું પીધું, પણ એનો વિપાક અનંતકાળ ભોગવવો પડશે, તે એ તારકો જોઈ રહ્યા છે, માટે દાન, શીલ, તપ તથા ભાવનો જ ઉપદેશ આપે છે. તમારા પૈસા એ તારકને ખટકતા નહોતા : ગમે તેમ તમે ખાઓ અને ગમે તેમ વર્તા, એમાં એ તારકનું કશું જ બગડતું નહોતું: તમે તપ ન કરો અને અનાજના કીડા થાઓ, એમાં એ તારકનું જાય શું? પણ “મહામુશીબતે માનવજીવન મેળવીને બિચારા ગબડી ન જાય' - આવી ઉત્તમ દયાને લઈને જ એ ભગવાન ત્યાગનો ઉપદેશ આપે છે. વિચારો કે કેવી ઊંચી દયા !
અજ્ઞાનીઓને તો કેવળ ભૂખ્યા તરસ્યાની જ દયા આવે, કેમ કે તેઓ તો અનાજના કીડા અને પાણીનાં માછલાં પણ ભૂખ તથા તરસના નિદાન સુધી આ જ્ઞાની પહોંચે, એટલે એમની દયા પણ ત્યાં પહોંચે ? વગર અનાજે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org