________________
.
.
.
.
.
.
TITH
'T
- ૧૮ : પ્રમાદનો પરિહાર - AB =
૨૯૯
શ્રી કુમારપાળ મહારાજા યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા, બેય સેનાનો ભેટો થયો, સામે સેનાએ હથિયાર ઊંચક્યાં, પોતે પોતાની સેનાને હુકમ કર્યો પણ કોઈએ હથિયાર ઊંચકવું નહિ, કારણ કે શત્રુરાજા દ્વારા સેના ફૂટેલી હતી. સેનાએ આજ્ઞા ન માની. અણીના વખતે એમને ખબર પડી. મહાવતે જણાવ્યું કે “બધા ફૂટટ્યા છે, આપના પુણ્યનો યોગ કે આજે આપ પટ્ટહસ્તિ પર નથી બેઠા, નહિ તો એ તથા એનો મહાવત પણ ફૂટેલ છે. હું, આપ તથા આ હાથી ત્રણ ફૂટેલા નથી.” શ્રી કમારપાળ મહારાજા બળવાન હતા. આ વાત પ્રથમ કહેવાઈ ગઈ છે. પોતે હાથી ચલાવવા હુકમ આપ્યો અને સામી સેનાને જીતી પણ. બેય સેનામાં શ્રી કુમારપાળ મહારાજાના નામનો જયજયકાર થયો. બધા સૈનિકો, મંત્રીઓ અને સામંતો ધારતા હતા કે રાજા જુલમ કરશે. પણ જીવ્યા ત્યાં સુધી એકને પણ ફૂટવાનું કારણ પૂછ્યું નથી : એટલું જ નહિ પણ એ વાત પણ સંભારી નથી. કેમ કે એ માનતા કે “નાદાન તથા લોભિયા ફૂટે પણ ગંભીર સ્વામી એનું જ નામ કે જે સેવકના શુદ્ર દોષો ન જુએ.' પેલા બધાનાં જિંદગી સુધી મોં નીચાં રહ્યાં. બધાને એમ થયું કે સ્વામી મળો તો આવા મળજો કે જે આવા ભયંકર દોષોને પણ ગળી જઈ શકે છે! એમના પોતામાં બળ હતું : એવા પુણ્યાત્માઓ કેવળ સેનાના બળે જ જીવતા નહોતા. રાજા સેનાની સહાય લે, પણ સેનાની સહાયે જીવનારા રાજા, એ વસ્તુતઃ રાજા જ નથી. ચક્રવર્તી આદિ રાજાઓ ભૂજાબળ પર જીવે છે. ચક્રવર્તીના હાથમાં સ્વાભાવિક રીતે રહેલી સાંકળને, એની આખી સેના, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા તથા છશું કરોડ પાયદળ વગેરે બધા જ ભેગા થઈને ખેંચે તો પણ સહેજ પણ ન ખસેડી શકે. આથી સેના પણ સમજે કે આ સ્વામી રૂક્યો તો ભૂંડો એટલે કોપ થાય એવી કાર્યવાહી જ કોઈ ન કરે. એ પુણ્યાત્માઓનું પુણ્ય એવું તપે અને કપાળ એવું તેજ કરે કે સી એની સામે હાથ જોડીને ઊભા રહે ! એવાઓ ગંભીર એવા કે વાત વાતમાં મારવાના હુકમ ન છોડે અને જો હુકમ છૂટ્યો તો એનો અમલ થયા વિના પણ ન રહે. અજ્ઞાની અને અનંતજ્ઞાનીની દયા વેગળી :
આજના અજ્ઞાની કહે છે તે મુજબ “નાના જીવોને પાળનારા મોટા જીવોને મારનારા” હોતા નથી. વળી નાના જીવોને મારનારા મોટાને બચાવનારા છે એમ માનવું, એ પણ ખોટું છે : કદી બચાવતા હોય તો પણ પ્રાયઃ નામના ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org