SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : પ્રમાદનો પરિહાર ૨૯૭ સમ્યક્ત્વ વિના ચારિત્ર નકામું છે અને ચારિત્રરુચિ વિનાનું સમ્યક્ત્વ હોતું પણ નથી. સમ્યક્ત્વ વગરના ગમે તેવા તપ તથા ત્યાગ નકામા છે, એટલે વાસ્તવિક ફળના આપનારા નથી : તેમ તપ અને ત્યાગની રુચિ વગરનું સમ્યક્ત્વ પણ હોઈ શકતું નથી. 1037 - 68 સમ્યક્ત્વ એ બીજ છે. એમાંથી ચારિત્ર જન્મી શકે છે. અને ચારિત્ર સફળ ચારે થાય ? ત્યારે જ કે જ્યારે સમ્યક્ત્વ હોય ! ઇતરમાં પણ એવા એવા તપસ્વીઓ થઈ ગયા છે કે જેઓ છટ્ઠને પારણે છટ્ઠ ક૨તા અને સૂકી લીલફૂલથી પારણું કરતા, ખાબોચિયાના ગરમ અને નિરસ પાણી પર રહેતા તથા ભયંકર અગ્નિથી દેહને તપતા, છતાંય તેઓનું તે બધું નિષ્ફળ શાથી ? એથી જ કે સમ્યક્ત્વ ન હતું ! જે સમ્યકૃત્વના યોગે તપાદિ સફળ થાય તે સમ્યકૃત્વની કરણી ન હોય એમ બને જ કેમ ? અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી સમ્યકૃત્વની કરણી પણ અનુપમ છે. શ્રીસંઘમાં એનો પણ છેલ્લો નંબર છે. સમ્યક્ત્વ હોય ત્યાં સુધી એ શ્રીસંઘમાં નભે, પછી નહિ : જેમ સર્વવિરતિને અને દેશવિરતિને સંઘમાં સ્થાન છે તેમજ સમ્યગ્દષ્ટિને પણ સંઘમાં સ્થાન છે, કેમ કે સમ્યગ્દષ્ટિ પણ હૃદયથી તો વિરતિનો પૂજારી છે. જેના દ્વારા વિરતિ આવતી હોય, તેની સેવા કરવામાં એ કમી ન જ રાખે. લક્ષ્મીના અર્થી લક્ષ્મીના સાધનને સેવવામાં કદી કમી રાખે છે ? ભલે દુર્ભાગ્ય યોગે પામે નહિ, છતાં પણ પ્રવૃત્તિ તો લક્ષ્મીવાનની માફક કરે, દોડધામ બધી કરે, લક્ષ્મી કાં મળે તે સાધન એ શોધે છે, તેમ સમ્યગ્દષ્ટિને અવિરતિના ઉદયે વિરતિ ન મળે, પણ વિરતિમાર્ગની પ્રાપ્તિ જેનાથી થાય તેવી પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ રાખે ! પણ દુ:ખ અને ખેદની વાત છે કે આજે તો અવિરતિનો ઉદય કહેનારાઓ કેટલાક વિરતિના સાધનથી પણ આઘા જાય છે. અવિરતિનો ઉદય છે અને સમ્યક્ત્વ છે, એવું ત્યારે જ મનાય કે જ્યારે દેશવિરતિ તથા સર્વવિરતિનાં સાધનો પ્રત્યે અવિહડ રાગ હોય અને યથાશક્તિ પ્રવૃત્તિ હોય. બળનો ઉપયોગ નિર્બળ સામે ન હોય : Jain Education International પાપના ભીરુ મોહાદિકના યોગે યુદ્ધમાં જાય, પણ એમનામાં પાપભીરુતા તો અવશ્ય દેખાય. ચેડા મહારાજા યુદ્ધમાં ગયા હતા ત્યાં પણ બાણને પૂંજતા. કારણ કે નિ૨૫૨ાધી ત્રસજીવને સંકલ્પપૂર્વક ન મારવાનો નિયમ કાયમ તેમના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy