SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ - - - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1038 સમ્યકત્વ અને આચારનો સંબંધ : સભા : સમ્યકત્વ માત્ર મંતવ્યમાં કે એને માટે કરણી પણ હોય ? સમ્યગ્દષ્ટિ માટે કરણી ન હોય એ વાત જ ખોટી છે. સમ્યગ્દષ્ટિ આત્મા શુદ્ધ એટલે સમ્યકત્વને ટકાવનારા, ખીલવનારા અને શુદ્ધ કરનારા આચારોમાં તે અવશ્ય પ્રવૃત્તિમાન થાય, ન થાય તો સમ્યકત્વ જાય ? પણ શું સમ્યગ્દષ્ટિ આત્મા કુદેવના ત્યાગ પછી સુદેવની ભક્તિ ન કરે એ બને ? તે આત્મામાં વ્રત ન હોય એ બને, પણ એ આત્મામાં શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની વૈયાવચ્ચની કરણી તો ખાસ હોય. સમ્યક્ત્વની એ તો કરણી છે. ઇતર આત્મામાં પણ યોગ્ય સામગ્રી લઈને જૈનત્વ પ્રગટે, પછી એ શુદ્ધ આચારમાં અવશ્ય પ્રવૃત્ત થાય. અરીસો સાફ હોય એની સામે જે ધરાય તે બધું એમાં પ્રતિબિંબિત થાય, તેમ સમ્યકત્વ આવ્યું કે યોગ્ય રુચિ જાગ્રત થાય જ ! શ્રી શ્રેણિક મહારાજા તથા શ્રી કૃષ્ણમહારાજાને અવિરતિનો ઉદય હતો જેથી વિરતિ લઈ શક્યા નહોતા, પણ શ્રી જિનેશ્વરદેવની પૂજામાં, સરુઓની સેવામાં, શ્રી જિનવાણીના શ્રવણમાં, વિરતિની પ્રેરણા કરવામાં, વિરતિધર થવા ઇચ્છનારને સહાય કરવામાં, તેઓ કદી પણ આંચકો ખાતા હતા ? નહિ જ, કારણ કે અવિરતિના ઉદયથી કદાચ સમ્યગ્દષ્ટિ આત્મા પોતે પચ્ચખાણ ન લઈ શકે, હું સાધુ થાઉં, શ્રાવક થાઉં, એટલે કે સર્વવિરતિ કે દેશવિરતિ થાઉં એમ કદાચ ન થાય, પણ બનું તો સારું, નથી બનાતું એ ખામી છે, અને એને ધન્યવાદ છે, એમ તો તે આત્માઓને અવશ્ય થાય. અને એથી જ તેઓ જે બને તેને અવશ્ય સહાય કરે. પોતાને વ્રત લેવાનાં પરિણામ ન થાય, પણ લેવું જોઈએ અને ક્યારે લેવાશે, એવી ભાવના તો તે આત્માઓને પણ રહે : પણ પરિણામ ન થાય. તેવા આત્માઓને દેવગુરુની સેવામાં અને ધર્મ સાંભળતાં એટલો ઉલ્લાસ થાય કે રૂંવાટે રૂંવાટે ધર્મ પરિણમે. કોઈને ધર્મી બનાવવા, કોઈ બનતો હોય તો સર્વ પ્રકારે સહાય કરવાની તે આત્માની તૈયારી હોય, કારણ કે પોતે નથી પામી શકતો, તેથી તે આત્મા પોતાને મહા પામર સમજે છે. આથી સમજી શકાશે કે સમ્યક્ત્વની કરણી કેટલીક વખત એવી હોય કે મુનિને પણ આશ્ચર્ય પમાડે : એટલે કે વ્રત ન હોય પણ કોઈ વ્રતાદિક લે એની પાછળ એની સેવા જોઈને મુનિને પણ આશ્ચર્ય થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy