________________
૧૮ : પ્રમાદનો પરિહાર
ક્ષણ પણ પ્રમાદ ન કરો !
સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી ફરમાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મ પામી શકતા નથી અને મળેલી એવી સુંદર ધર્મસામગ્રીને હારી જાય છે, કે જે ફરી મળવી દુર્લભ છે : એના ઉપર સૂત્રકા૨ મહર્ષિએ ફરમાવેલું કાચબાનું દૃષ્ટાંત આપણે જોઈ આવ્યા. એક લાખ યોજનનું ગાઢ શેવાલથી છવાયેલ સરોવર હોય, એમાં પવનના ઝપાટાના યોગે છિદ્ર પડે, તે જ વખતે કાચબાનું મોં બહાર આવે અને આ બનાવો પણ આસો સુદી પૂનમની મધ્યરાત્રે બન્યા હોય, વળી તે દિવસે પણ વાદળાં ન હોય, ચંદ્ર ખીલ્યો હોય, તે વખતે કાચબાને અપૂર્વ આનંદ આવે, પણ પરિવારના મોહથી એ બધાને લાવવા પાછો અંદર પેસે તો ફરી શેવાળ ફરી વળે : આસોની પૂનમ પણ ચાલી જાય અને એ કાચબો એ જ સરોવરમાં ફર્યા કરે ! એ જ રીતે કર્મવિ૨થી આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં મળેલું માનવજીવન, વિષયાદિથી હારી જનારને ફરી મળવું દુર્લભ છે : એ જ માટે
આ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સેંકડો ભવોએ મુશીબતે કર્મવિવરથી મળેલા સમ્યક્ત્વને પામીને, વિવેકી આત્માએ ક્ષણવાર પણ પ્રમાદી ન બનવું જોઈએ. ઉપયોગ કરતાં આવડે તો મનુષ્યજીવન કામનું છે અને પ્રમાદમાં ગુમાવી દેવાય તો નકામું છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિવાળું માનવજીવન સૌથી ઊંચું : ઉત્તમ દેશ ઉત્તમ જાતિ, ઉત્તમ કુળમાં જન્મ અને તેમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ, છતાં પ્રમાદ આવે તો એ બધું જ હારી જવાય. પ્રમાદ એવો ભયંકર છે કે જે બધા સદ્ગુણોને આચ્છાદિત કરે છે. વિષય અને કષાયની માત્રા એટલી બધી જબરી છે કે જે બધા સદ્ગુણને દાબી દે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો તો ખુલ્લા અને એને સાચવવા ક્રોધ, માન, માયા તથા લોભ બધું જ આવે : આ બધાનું જ્યાં જોર હોય, ત્યાં આત્માની શી ગુંજાશ કે પોતે પોતાનું ધાર્યું કામ કરે ? વિષયો વળગ્યા છે એને સાચવવા ક્રોધ પૂરો, માન તો જોઈએ જ, માયામાં તો પૂછવું જ શું અને લોભનો તો તાગ જ નથી ! આ દશામાં આત્મા આ માનવજીવનને સફળ શી રીતે કરી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org