SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : પ્રમાદનો પરિહાર ૦ ક્ષણ પણ પ્રમાદ ન કરો ! • સમ્યક્ત્વ અને આચારનો સંબંધ : ♦ બળનો ઉપયોગ નિર્બળ સામે ન હોય : ૭ અજ્ઞાની અને અનંતજ્ઞાનીની દયા વેગળી : ♦ દાનનું સ્વરૂપ : ♦ ઇર્ષ્યાળુના પાડોશમાં ન વસાય ૭ ખરો સામ્યવાદ સિદ્ધિસ્થાનમાં જ : ♦ દેવ-ગુરુ-ધર્મની દૃષ્ટિ સમજો ! વિષય : પ્રમાદનો ત્યાગ, માન્યતા સાથે આચારની સમતુલા, બળનો ઉપયોગ ક્યાં કરાય, દયા અને દાનનું સ્વરૂપ. 68 આ એક ખૂબ જ મનનીય પ્રવચન છે. પ્રથમ પ્રમાદનો પરિહાર કરવાનું જણાવ્યા બાદ સભામાંથી ઊઠેલા એક પ્રશ્નના જવાબમાં વિગતથી સમ્યગ્દષ્ટિ આત્માના આચારો અંગે વાત કરી છે. ધર્મ સાંભળવાની ઇચ્છા-પ્રયત્ન, ધર્મરાગ અને દેવગુરુની સેવાનો આચાર એમાં હોય જ. આ માટે શ્રેણિક અને શ્રીકૃષ્ણજીના દાખલા આપીને બળવાન આત્મા પોતાનું બળ ચાં વાપરે અને ચાં ન વાપરે એ વાતના અનુસંધાનમાં કુમારપાળ મહારાજાનું દૃષ્ટાંત આપી અજ્ઞાનીની અને અનંતજ્ઞાનીની દયાનું સ્વરૂપ પણ વિશદ કર્યું. અનુકંપા અને ભક્તિદાનનો ફરક બતાવી બંનેમાં હોવો જોઈતો વિવેક ખૂબ જ ધારદાર ભાષામાં સ્પષ્ટ કર્યો છે. જ્ઞાનીની દૃષ્ટિ જીવોને પાપથી બચાવવાની હોય છે, તેની પાછળ હેતુ એક કે જીવો ૨ખડવા - દુઃખી થવા ચાલ્યા ન જાય એ મુદ્દાની છણાવટ સાથે પ્રવચનની પૂર્ણતા કરાઈ છે. સુવાક્યાતૃત ઉપયોગ કરતાં આવડે તો મનુષ્યજીવન કામનું છે અને પ્રમાદમાં ગુમાવી દેવાય તો નકામું છે. ♦ પ્રમાદ એવો ભયંકર છે કે જે બધા સદ્ગુણોને આચ્છાદિત કરે છે. અરીસો સાફ હોય એની સામે જે ધરાય તે બધું એમાં પ્રતિબિંબિત થાય, તેમ સમ્યક્ત્વ આવ્યું કે યોગ્ય રુચિ જાગ્રત થાય જ ! નિર્બળની રક્ષા માટે બળ છે પણ દુર્બળોને મારવા માટે નથી. નાદાન અને લોભિયા ફૂટે પણ ગંભીર સ્વામી એનું જ નામ કે જે સેવકના યુદ્ર દોષો ન જુએ. અજ્ઞાનીને કેવળ ભૂખ્યા તરસ્યાની જ યા આવે કારણ કે તેઓ તો અનાજના કીડા અને પાણીનાં માછલાં, પણ એના નિદાન સુધી જ્ઞાની પહોંચે. અનુકંપામાં દેવું એ પુણ્ય, પણ આરંભાદિકમાં ‘આમ કરજે’ - એમ કહેવું એ પાપ ! દરેક માણસ કેવો છે એ જોવા બેસો તો અનુકંપાદાન ન થાય. દુ:ખીનું દુઃખ દૂર કરવું એટલી જ ત્યાં ભાવના છે. Jain Education International • દીક્ષા લેનાર આત્મા પાલખીમાંથી લક્ષ્મી ઉછાળે, એને કોણ લેશે એ નક્કી નથી, પણ એ ન જોવાય. ત્યાં તો શાસનની પ્રભાવના માટે અને લક્ષ્મીની અસારતા જાહેર કરવા માટે દાન બુદ્ધિ જ રાખવાની ! જ્યાં લેવું-દેવું બેઉ છે ત્યાં સામ્યવાદ કહેનારા મૂર્ખા છે ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy