________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
પગ તળે જીવ ન પણ મરે છતાં એ હિંસક છે. જૈનશાસનની હિંસા-અહિંસાની આ વ્યાખ્યા છે.
૨૯૨
આશાપૂર્વક નદી ઊતરતા મુનિ પણ અહિંસક છે અને કાળજી વિના ઉપયોગહીનતાથી નાના ખાબોચિયામાં આંગળી નાખે એ મુનિ હિંસક છે.
1032
કોઈને બચાવવાની જ એક ભાવનાએ ધોલ મારો અને કદી સામાને ખોટું પણ લાગે અને કદાચ દુર્દેવના યોગે મરી પણ જાય, તોયે એ ધોલ મારનાર અહિંસક છે, પણ મારવાની બુદ્ધિએ આંગળી અડાડો અને કદાચ ગબડીને મરે અથવા ન પણ મરે, તો પણ આંગળી અડાડનાર હિંસક છે. તમે સામાની આંખ ફોડવા આંગળી ખોસવા ગયા, સામો સાવધ થયો અને મોં ફેરવ્યું તો એની આંખ ન ફૂટી, પણ તમે તો આંખ ફોડનારાને ? તમારી ભાવના કઈ હતી ?
મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રમાદો આત્માને હાનિકર્તા છે, માટે ક્ષણવાર પણ પ્રમાદ ન કરવો જોઈએ, એવો વારંવાર મુનિ સમ્યગ્દષ્ટિના કાનમાં મંત્ર ફૂંકે. અસ્તુ.
હવે આગળ શું આવે છે, તે હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org