SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 1091 - ૧૭: મોહની ભયાનકતા ! - 67 – - ૨૯૧ શાતિઓના એટલે કે માતાપિતાદિકના મોહથી અને વિષયોપભોગોની લાલસાથી, આત્મા સર્વોત્તમ સંયમાનુષ્ઠાનને નથી સાધી શકતો અને ઊલટું પ્રાપ્ત થયેલા મનુષ્યપણાદિકને પણ હારી જાય છે. એ મોહ અને એ લાલસા એટલાં બધાં ભયંકર છે કે જેના યોગે શ્રી તીર્થંકર પરમાત્મા જેવા સકલસંશયછેદી ધર્મદેશક છતાં, પણ પોતાના વાસ્તવિક હિતને જોવાની બુદ્ધિ નહિ ધરાવનારા આત્માઓ, સંયમાનુષ્ઠાનને પામી શકતા નથી. પ્રમાદ એ મહાશત્રુ: આ જ કારણે સમ્યકત્વને પામેલા આત્માને ઉદ્દેશીને શ્રી ટીકાકાર મહર્ષિ, એક ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું ફરમાવે છે : કારણ કે પ્રમાદ, એ આત્માનો ભયંકરમાં ભયંકર શત્રુ છે એનાથી બચવાનો ઉદ્યમ કરનારાઓ જ મુક્તિપદને સાધી શકે છે : બાકી પ્રમાદીઓ તો સંસારમાં રખડ્યા જ કરે છે. પ્રમાદને જ આધીન બનેલા આત્માઓ જેમાં ને તેમાં પ્રમાદને જ મુખ્ય બનાવે છે ને એથી સારામાં સારી પણ ક્રિયાઓનો લાભ લેવાને બદલે ઊલટી હાનિ ઊભી કરે છે. પ્રમાદમાં વિષય અને કષાય, એ મુખ્ય ભાગ ભજવે છે. વિષય અને કષાયમાં જ રત બનેલા આત્માઓને નિદ્રા તો વળગેલી જ છે અને અવસર પામીને મઘ તથા વિકથારૂપ પ્રમાદ પણ એ આત્મા ઉપર સવારી કરી દીધા વિના રહેતા જ નથી. પાંચેય પ્રમાદો જીવવિશેષને પામીને પોતાનો મુખ્ય ભાગ ભજવે છે. વિષયાદિકની લાલસાથી કરાતી ધર્મક્રિયા પણ એના પરિણામે અધર્મરૂપ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ માટે વિષયાદિકની અભિલાષાથી શ્રી જિનેશ્વરદેવની પૂજા પણ પ્રમાદરૂપ થઈ જાય છે. વિષયકષાય મેળવવાની મહેનત, ભોગની લાલસા, ભોગ મેળવવાની મહેનત, ભોગનો ભોગવટો, ભોગને સાચવવાની કાળજી, ભોગનો ત્યાગ થાય તો રોવું, એ બધો પ્રમાદ જ છે. સભા ભોગ આવ્યાથી આનંદ થાય એ? એ પણ મહાપ્રમાદ. સમ્યગ્દષ્ટિ આત્મા તરફથી વિષયકષાયની ભાવનાએ કરાતી ધર્મપ્રવૃત્તિમાં પણ હિંસા છે, પ્રમાદ છે. ધર્મપ્રવૃત્તિ પણ વિસ્તારની બુદ્ધિથી કરાય તો અહિંસા. ઉપયોગપૂર્વક ચાલતા, સંયમની રક્ષાપૂર્વક ચાલતા મુનિના પગ તળે સૂક્ષ્મ જંતુ આવે અને કદાચ મરી પણ જાય તો પણ એ મુનિ હિંસક નથી, પણ અહિંસક છે : અને ઉપયોગ વિના, બેદરકારીથી ચાલે એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy