________________
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
- 10
હોવાથી અને તે જલહદમાં જ જંતુઓ ઘણાં હોવાથી તે કાચબો તે વિવરને જોઈ શક્યો નહિ અને તે જલહૃદમાં જ વિનાશને પામી ગયો. એટલે કે
મરણને શરણ થઈ ગયો.” અર્થાપનયઃ ઉપરના દૃષ્ટાંતનો અર્થોપનય કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
“સંસારરૂપ જલહદમાં જીવરૂપ કાચબો, કર્મરૂપ શેવાળના વિવરથી મનુષ્યપણું, આર્યક્ષેત્ર અને સુકુલમાં ઉત્પત્તિથી-આરંભીને સમ્યકત્વ છે અંતે જેમાં તે રૂપ આકાશતલને પામીને, મોહના ઉદયથી જ્ઞાતિને માટે તથા વિષયોના ઉપયોગ માટે ઉત્તમ અનુષ્ઠાનોથી વંચિત રહીને, તે ઉત્તમ વસ્તુઓને સફળ નથી કરી શકતો તો પછી તે વસ્તુઓનો ત્યાગ કર્યા બાદ, આ સંસારરૂપ હદની અંદર વર્તતા એ જવરૂપ કાચબાને ફરીથી તે મનુષ્યપણાદિકની પ્રાપ્તિ કયાંથી થઈ શકે? અર્થાતુ ન જ થઈ શકે. તે કારણથી ‘સેંકડો ભવે કરીને પણ દુઃખથી મળી શકે તેવા કર્મના વિવરરૂપ સમ્યકત્વને પામીને એક ક્ષણ પણ તેની આરાધનામાં પ્રસાદી ન થવું
જોઈએ' - એ આ કથાનો વાસ્તવિક ભાવ છે. આ ઉપરથી હવે ઘણી જ સહેલાઈથી સમજી શકાય તેમ છે કે આ મહાપુરુષો સંસારને એક મહાહદની ઉપમા આપે છે, જીવને કાચબાની ઉપમા આપે છે, મનુષ્યપણાદિકને ચંદ્રિકાથી વ્યાપ્ત અને તારાઓથી પરિમંડિત સુંદર આકાશતલની ઉપમા આપે છે અને જ્ઞાતિ તથા વિષયોપભોગના મોહને પ્રમાદની ઉપમા આપે છે તથા ફરમાવે છે કે “એ પ્રમાદને વશ પડેલો આત્મા અવશ્ય એ બધી મળેલી ઉત્તમ વસ્તુઓને હારી જાય છે અને ફરીથી તે વસ્તુઓની પ્રાપ્તિને દુર્લભ બનાવી મૂકે છે.”
આથી જ - ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “સેંકડો ભવોએ કરીને પણ દુઃખે મળી શકે તેવા કર્મવિવર રૂપ સમ્યક્ત્વને પામીને, એક ક્ષણ પણ તેની આરાધનામાં પ્રમાદી ન બનવું જોઈએ.' માતાપિતાદિનો મોહ અને વિષયોની લાલસાના પાપે.
ખરે જ ઃ આ સંસારરૂપ હદમાં જીવરૂપ કાચબાને કર્મરૂપ શેવાળની આધીનતાના યોગે, સુંદર આકાશતળ જેવા મનુષ્યપણાદિની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે અને કદાચ પરમ પુણ્યના ઉદયે મનુષ્યગતિ, તે પણ આર્યક્ષેત્રમાં અને તેમાંય સુકુલની પ્રાપ્તિ થઈ જાય, તેમાં વળી અતિ ભાગ્યોદયે સદ્દગુરુનો યોગ મળે અને કર્મના ક્ષયાદિકથી સમ્યવરત્નની પ્રાપ્તિ થઈ જાય છે, છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org