SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 1027 ૧૭ : મોહની ભયાનકતા ! 67 ‘કપટને ધરનારો આત્મા ‘ધર્મી પણાની ખ્યાતિના લોભથી પોતાના આશ્રવને ઢાંકીને, પોતે હીન હોવા છતાં પણ જગતને તરણા જેવું માને છે.’ ‘તે કારણથી દંભી આત્મા પોતાનો ઉત્કર્ષ કરીને અને પારકાના અપવાદ બોલીને, યોગજન્મને બાધ કરનારા કઠિન કર્મને બાંધે છે.’ આ વિશ્વમાં માયાવી અને પ્રપંચી આત્માઓના પંથ ન્યારા જ હોય છે ! અને એથી એવા આત્માઓ પોતાના પરિચયમાં આવતા આત્માઓનું જેટલું અહિત ન કરે એટલું ઓછું ! તથા વિશ્વના ઉપકારીઓને હલકા પાડવાની નફ્ફટાઈ ભરેલી જેટલી કાર્યવાહી ન કરે તેટલી ઓછી ! એવા આત્માઓ દ્વારા કોઈ પણ સારું કાર્ય કરવાની આશા સરખી પણ રાખવી, એના જેવી ભયંકર મૂર્ખાઈ બીજી એક પણ નથી. આથી એકેએક કલ્યાણના અર્થી આત્માની તો એ જ ફરજ છે કે ‘એવા શાસનના સત્યને અને એ સત્યનો પ્રચાર કરનારા આત્માઓની ખોટી રીતે હલકાઈ કરનારા, કરાવનારા અને કરતાને ઇરાદાપૂર્વક ટેકો આપનારા પાપાત્માઓથી સર્વ પ્રકારે પોતાની જાતને બચાવવી જોઈએ.’ એવા પાપાત્માઓના તો સહવાસથી બચવામાં જ કલ્યાણ છે. - અસ્તુ. સૂત્રકાર મહર્ષિ તથા ટીકાકાર મહર્ષિ - સ્વતંત્ર ધર્મદેશક કોણ હોઈ શકે અને તે તારકો ધર્મનો ઉપદેશ કોને આપે ?' – એ સમજાવ્યા પછી એમ ફરમાવ્યું કે - - ૨૮૭ ‘સકલ સંશયોને છેદનાર શ્રી તીર્થંકરદેવ જેવા પણ ધર્મદેશક છતાં, તે જ આત્માઓ સંયમરૂપ સંગ્રામ ખેલવાને સજ્જ થાય છે અને ઇંદ્રિયો તથા કર્મરૂપ શત્રુઓ ઉપર આક્રમણ કરે છે કે જેઓ લઘુકર્મી હોય ! બાકી જેઓ ગુરુકર્મી છે અને જેઓમાં આત્માને હિત કરનારી પ્રજ્ઞા નથી, તેઓ તો તેવા પરમ તારક શ્રી તીર્થપતિ જેવા પણ ધર્મદેશક છતાં, સંયમાનુષ્ઠાનમાં ઉદ્યમશીલ થઈ શકતા નથી : એટલે કે ધર્મ વસ્તુને પામતા નથી અને પામે છે તો પણ પ્રમાદવશ થઈને આરાધતા નથી.’ તીર્થંકરોપદેશ છતાં સંયમપ્રાપ્તિ નહિ તેમાં પ્રથમ દૃષ્ટાંત : ‘શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ સંયમાનુષ્ઠાનમાં સીદાવાનું શું કારણ છે ?' તે યુક્તિપૂર્વક દૃષ્ટાંત દ્વારા સમજાવતાં, તે પરમોપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy