________________
૨૮૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ –
–
doY8
તે સાધુવેશમાં રહી શતાનિયત કરનારા
આ જ કારણે - જેઓ આજે આગમની નિશ્રા આથી મૂકીને જમાનાની નિશ્રાનો સ્વીકાર કરે છે અને આગમને આધીન દેશના દેવાને બદલે જમાનાને આધીન દેશના દઈ રહ્યા છે, તેઓ ખરે જ શ્રી જિનેશ્વરદેવના શાસનને નામે જીવવા છતાં, તે જ પરમતારક શાસનનો ભયંકર દ્રોહ કરી રહ્યા છે અને એવાઓને ખુલ્લી અગર તો છૂપી પુષ્ટિ આપી રહેલાઓ, એવા દ્રોહીઓ જે દ્રોહ કરી રહ્યા છે, તેના કરતાંય ભયંકર દ્રોહ આચરી રહ્યા છે. આવાઓથી સાવધ રહેવું અને અન્ય મોક્ષના અર્થીઓને સાવધ રાખવા, એ પ્રત્યેક પરોપકારરસિક આત્માની અનિવાર્ય ફરજ છે. એ પવિત્રમાં પવિત્ર ફરજની અવગણના કરનારાઓ, ખરે જ બહુલસંસારી અથવા તો ગુરુકર્મી આત્માઓ છે, એમાં કશી જ શંકા નથી.
વળી - જેઓ આજે નિર્ભયતાથી, માનપાનાદિના ભોગે અને અમુક વર્ગનો ખોફ વહોરી લઈને પણ તથા પોતાની થતી ખોટી નિંદાદિકની પણ દરકાર કર્યા વિના, શાસ્ત્રાજ્ઞા મુજબની પોતાની પવિત્રમાં પવિત્ર ફરજ બજાવી રહ્યા છે, તેવા પુણ્યાત્માઓ તરફ ધૃણાની દષ્ટિએ જોનારા , તેવા તારક આત્માઓ તરફ તિરસ્કારની વૃષ્ટિ વરસાવનારાઓ અને તેવા ઉપકારરસિક આત્માઓ માટે એલફેલ બોલવાની ધૃષ્ટતા સેવનારાઓ તો ખરે જ નીતિના એક શ્લોકના -
“તુત્તિ નિરર્થ પરહિત, તે જ નાનીમો?” જેઓ વગર કારણે પારકાઓના હિતનો નાશ કરે છે તેઓ કોણ છે?
તે અમે જાણતા નથી.' - આ ચોથા પદને યાદ કરાવે છે ! અને એવા પુરુષોની નિંદા કરનાર પામરોની પીઠ થાબડનારાઓ જો કદાચ સાધુના વેષમાં હોય, તો પણ તેઓ ખરે જ સાધુના વેષમાં રહીને જૈનશાસન પ્રત્યે અજ્ઞાનતાભરી શેતાનિયત ખેલનારા છે ! અને આખાયે જેનસમાજને ધોખો દેનારા હોઈ, નામ લેવાને પણ લાયક નથી ! એવા દંભીઓ માટે મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવર શ્રી અધ્યાત્મસાર” નામના ગ્રંથમાં ફરમાવે છે કે –
“થર્ટીતિ તિલ્લોપેન, પ્રતિનિનાવડા तृणाय मन्यते विश्वं, हीनोऽपि धृतकैतवः ।।१।। आत्मोत्कर्षात्ततो दम्भी, परेषां चापवादतः । વાતિ નિર્મ, વાય યોનિન્મનઃ રા"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org