SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ : મોહની ભયાનકતા સાક્ષાત્ શ્રી તીર્થંકરનો ઉપદેશ છતાં સંયમ નહિ? અત્યાર સુધીમાં સૂત્રકાર મહર્ષિએ અને ટીકાકાર મહર્ષિએ આપણને એમ સમજાવ્યું કે “સ્વતંત્રપણે ધર્મની દેશના શ્રી તીર્થંકરદેવો, સામાન્ય કેવળજ્ઞાની મહર્ષિઓ, અન્ય અતિશય જ્ઞાનીઓ અને શ્રી શ્રુતકેવલી ભગવાનો આપી શકે, પણ અન્ય નહિ અન્ય તો તે જ આપી શકે કે જે અનંતજ્ઞાનીઓ ફરમાવી ગયા છે અને તે પણ તેવા જ દઈ શકે કે જેમણે અનંત જ્ઞાનીઓની આજ્ઞામાં રહી ધર્મદેશક થવાની યોગ્યતા સદ્ગુરુની નિશ્રામાં મેળવી હોય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને-તેને અને જે-તે રીતે ધર્મદેશક બનવાની આજ્ઞા નથી અને શ્રી તીર્થંકરાદિ સિવાયના ધર્મદેશકોને પણ આગમને દૂર રાખી સ્વતંત્રપણે ધર્મદેશના દેવાનો અધિકાર નથી. તે પરમ તારકો પણ તે તે આત્માઓને આ મનુષ્યલોકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ મુક્તિમાર્ગનો જ ઉપદેશ આપે છે, પણ અન્ય વસ્તુનો નહિ ! આથી એ સ્પષ્ટ જ છે કે “શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મુક્તિમાર્ગ સિવાયની વસ્તુનો ઉપદેશ આપવાનું વિધાન જ નથી અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સિવાય અન્ય વસ્તુને મુક્તિ માર્ગ તરીકે ઓળખાવી શકાય તેમ પણ નથી.” આ જ કારણે કોઈ પણ સુવિહિત ગુરુઓએ એ રત્નત્રયી સિવાયનો ઉપદેશ આપ્યો નથી, એટલું જ નહિ પણ પ્રમાદથી પણ તેવો ઉપદેશ આપનાર મોટામાં મોટા જ્ઞાનીઓને પણ એ વસ્તુમાં ભૂલ કરનાર તરીકે ઓળખાવ્યા છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના આત્માએ મરિચિના ભવમાં માત્ર વિત્ના રૂલ્ય પર્યાપ' - આટલા જ શબ્દો કહ્યા હતા અને એટલા જ શબ્દો બોલવાથી, તે તારકના આત્માએ કોટાકોટિસાગર પ્રમાણ સંસાર વધાર્યો, એમ શાસ્ત્ર કહે છે. આથી એ સ્પષ્ટ છે કે “શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મુક્તિમાર્ગ એટલે સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ રત્નત્રયી સિવાયના ઉપદેશને સ્થાન જ નથી ને એ જ કારણે શ્રી તીર્થકરાદિ સિવાયના ધર્મદેશકોને આગમના અવલંબન સિવાય સ્વતંત્રપણે ધર્મદેશના આપવાનો અધિકાર જ નથી.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy