SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ : મોહની ભયાનકતા 67 - સાક્ષાત્ શ્રી તીર્થંકરનો ઉપદેશ છતાં સંયમ નહિ: માતાપિતાદિનો મોહ અને વિષયોની છે તે સાધુવેશમાં રહી શતાનિયત કરનારા : લાલસાના પાપે • તીર્થકરોપદેશ છતાં સંયમપ્રાપ્તિ નહિ તેમાં પ્રથમ • પ્રમાદ એ મહાશત્રુ : દૃષ્ટાંત : વિષય : દાદષ્ટાંત દુર્લભ મનુષ્યપણું- કાચબાનું દષ્ટાંત સૂત્ર અને ટીકાધારે સમજ, ધર્મોપદેશ કોણ અને કેવો કરી શકે તેમજ કોને કરી શકાય એ બધી વાતો પૂર્વે સમજાવ્યા બાદ અત્રેના પ્રવચનમાં માયાવી ધર્મોપદેશકોથી બચી સત્યનો જ પ્રમાર પ્રસ્તાર કરનાર મહાત્માના ચરણો વળગીને બેસવું જોઈએ. આ પ્રમુખ સૂર રજૂ કર્યા બાદ તીર્થંકરદેવ જેવા પ્રધાન કોટિના ધર્મોપદેશક છતાં પણ જીવો પોતાની અયોગ્યતાવશ સંયમાદિ ધર્મને પામી શકતા નથી એ અંગે સૂત્રકાર ભગવંત અને વૃત્તિકારશ્રીજીએ રજૂ કરેલ ગ્રંથના આધારે પ્રવચનકારશ્રીએ કાચબાનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. અહીં જીવની અયોગ્યતા એટલે માતાપિતાદિકનો મોહ અને વિષયાદિકની લાલસા છે. હાથમાં આવેલ ધર્મરૂપી ફળનો ત્યાગ કરી જીવો મોહાધીન બની, પ્રમાદવશ બની સ્વકલ્યાણમાર્ગને જ રૂંધે છે, એ વાત વાંચતાં કંપારી ઊઠે તેમ છે. અવાક્યાત. • શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને - તેને અને જે તે રીતે ધર્મદેશક બનવાની આજ્ઞા નથી અને શ્રી તીર્થંકરાદિ સિવાયના ધર્મદેશકોને પણ આગમને દૂર રાખી સ્વતંત્રપણે ધર્મદેશના દેવાનો અધિકાર નથી. • સૂત્રનાં પાંચ અંગોને અખંડિતપણે માનનારા જ સૂત્રના યથાસ્થિત ભાવને પામી શકે છે. • માતાપિતાદિકના મોહથી અને વિષયોપભોગની લાલસાથી આત્મા સર્વોત્તમ સંયમાનુષ્ઠાનને નથી સાધી શકતો અને ઊલટું પ્રાપ્ત થયેલા મનુષ્યપણાદિકને પણ હારી જાય છે. સમ્યગ્દષ્ટિ માટે વિષયાદિકની અભિલાષાથી શ્રી જિનેશ્વરદેવની પૂજા પણ પ્રમાદરૂપ થઈ જાય છે. વિષય કષાય મેળવવાની મહેનત, ભોગની લાલસા, ભોગ મેળવવાની મહેનત, ભોગનો ભોગવટો, ભોગને આપવાની કાળજી, ભોગનો ત્યાગ થાય તો રોવું એ બધો પ્રમાદ છે. • પ્રમાદ એ આત્માનો ભયંકરમાં ભયંકર શત્રુ છે. આજ્ઞાપૂર્વક નદી ઊતરતા મુનિ પણ અહિંસક છે અને કાળજી વિના ઉપયોગહીનતાથી નાના ખાબોચિયામાં આંગળી નાંખે એ મુનિ હિંસક છે. • ધર્મપ્રવૃત્તિ પણ વિસ્તારની બુદ્ધિથી કરાય તો અહિંસા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy