________________
1023
- ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66
–
૨૮૩
પણ આંગળીના મોહમાં પડાય તો ઝેર ચઢ, નસો ખેંચાય અને નાશ પણ થાય. એના કરતાં એક આંગળી જાય તો વાંધો શો ? તેવી જ રીતે અહીં પણ બીજો ખ્યાલ ન કરતાં વિરુદ્ધ વર્તન ન થાય તેની કાળજી રાખો અને વિરોધથી નિર્ભીક બનો. વાજબી વિરોધને શરણે થઈએ, પણ ગેરવાજબી વિરોધને શરણે ન થવાય. ઘોંઘાટથી શરણે થઈએ, એ તો ન જ બનવું જોઈએ. સઘળા જ શાસનરસિકો મક્કમ થયા તો જતે દિવસે બધું જ ઠીક થઈ જશે. છેવટે સત્યનો જય છે. શાસન જયવંત છે. માટે શાસનને શોભાવનારી તહેતુ ક્રિયાને બરાબર સમજો અને તે તદ્હેતુ ક્રિયામાં જ રત બનો, તો પરિણામે અમૃતક્રિયા આવશે, કેવળજ્ઞાન પણ પમાશે અને મુક્તિપદે પણ જવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org