________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો *
શીખી એવું જ વર્તન કરશે. સંસ્કાર પહેલેથી જ ખરાબ પાડો ત્યાં શું થાય ? નિશાળે જાય ત્યારે ગજવામાં ખઉખઉ (નાસ્તો) આપે અને કહે કે ‘આપણે ખૂણે બેસી આપણું ખાઈએ અને પારકામાં ભાગ પડાવીએ.' આ સંસ્કાર પડ્યા, મોટો થયો, પરણ્યો, એટલે એ પોતે પોતાનું કરવાનો અને તમારી પાસે ભાગ માગવાનો : પછી તમે કહેશો કે ‘આવો ફાટ્યો ?' પણ ફટવ્યો તમે ને ? પરંતુ જો એને નિશાળે જતી વખતે કહીએ કે ‘આપીએ પણ લઈએ નહિ’ - તો કેવા સંસ્કાર પડે ?
૨૮૨
ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા વગેરે સંસ્કાર પાડશો અને એ સંસ્કારના યોગે દીકરા સાધુ થશે તો શાસનને દીપાવશે અને શ્રાવક હશે તોયે તિલક દીપાવશે. એ પરમ શ્રાવક બનવાનો. જો ઊંધા સંસ્કાર પાડશો તો અહીં તો આવવાનો નથી જ અને આ તિલક પણ કદાચ ભૂંસી નાખવાનો. આજે આવો અનુભવ થઈ રહ્યો છે, નહિ તો જૈનકુળમાં જન્મેલા આ રજોહરણની, આગમની, સાધુની, પૂર્વાચાર્યોની, મંદિરની, ઉપાશ્રયની અને ધર્માનુષ્ઠાન વગેરેની મશ્કરી કરે ? જેના યોગે જૈન કહેવરાવાય તેની મશ્કરી પોતાનું સંતાન કરે, તો આંખોમાંથી શું વરસવું જોઈએ ? લોહીનાં આંસુ આવવાં જોઈએ કે નહિ ? પછી તો બાપ કહે કે ‘વાંઝિયા સારા' - પણ હવે વળે શું ? ‘છટ નોનસેન્સ’ - કહીને ઊભા રહે છે ને ?
1022
જેને તારક મનાય તેના પર હલ્લા થાય ? આગમ પર અને પૂર્વાચાર્યો પર પ્રહાર, હલ્લા અને અસભ્ય વાપ્રદાન, આ બધું પોતાનાં સંતાન કરે ત્યારે એ જૈનને શું થાય ? આપણા જ ઘરમાં આવા કુલાંગારો પાક્યા છે અને ધર્મની સામે ઊંધો પ્રચાર કરે છે, છતાં પોતાના જૈનત્વની ચાદર ઓઢે છે, માટે વાતાવરણ આટલું બગડ્યું છે. એ વાતાવરણને તાબે થયા તો વધુ બગડશે. એવા વાતાવરણથી મક્કમપણે વિરુદ્ધ બનો. પ્રભુશાસનના પૂજારી હો તો ખોટા વિરોધથી ન ગભરાઓ. દશકા પછી પણ એ લોકોને પ્રભુશાસનના પૂજારી બનાવવા હોય, તો વિરોધને તાબે ન થાઓ. મક્કમ રહેશો તો ઠીક છે, તાબે થશો તો દશકા પછી હજી બગડશે. પહેલાં માર્ગ વિરુદ્ધ બોલનાર અમુક હતા અને આજે ? એવાની સાથે ખોટી લે-મૂકનો સંબંધ રાખ્યો તો આથી બૂરી દશા જ થવાની છે. સાવ બગડ્યું ત્યાંથી કાપ મૂકો, ભલે બુઠ્ઠું દેખાય. સાપ કરડે એ આંગળી કાપી જ નાખવી જોઈએ. હાથ ચાર આંગળીનો બને તેની પરવા નહિ,
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org