________________
તારા
- ૧૩ મુનિની દયા દ્રવ્યદયા અને ભાવદયા - 66
–
૨૮૧
વિરોધ સહો, પણ શ્રાવકપણું ન જવા દો : વિરુદ્ધ વર્તન ન કરો, પણ વિરોધથી ન કરો. વિરોધથી ડરી વિરુદ્ધ વર્યા તો ધર્મીપણું ગયું અને ધર્મ પણ ગયો સમજો. લોક કેવો છે, તે તો દૃષ્ટાંતથી સમજાવાઈ ગયેલ છે. પોઠિયાનું દૃષ્ટાંત પણ કહેવાયું છે. એક પણ ધર્મક્રિયા એવી નથી કે જેને વિરોધીઓએ નિદી ન હોય અથવા તો અત્યારે પણ તેઓ નિંદતા ન હોય.
હજારો ખરચીને જમાડનારના જમણવારમાં તેલ-મરચાંની પણ ખામી કાઢે ! કારણ કે અજ્ઞાનોમાં એ બુદ્ધિ જ નથી કે જેથી એમ વિચારે કે હજાર વાપરનારને શું સારું તેલ કે મરચાં ન મળે ?” પણ એઓ તો ઠામ ઠામ જમણવાર કરનારને વગોવે. આવા લોકના વિરોધ તરફ જોઈએ, તો તો માર્યા જઈએ. ધર્મીની ચોવીસ કલાકની ધર્મક્રિયાને ન જુએ, પણ એક જરા ભૂલ દેખાય કે તેને પહોળી કરી કરીને બતાવે. પોતાનાં સો ચાંદાં ન જુએ, પણ સામામાં કલ્પીને પણ એક ચાંદું ઊભું કરે. આ સ્વભાવ કોનો ? કાગડાનો. કાગડો ન હોય તોયે ત્યાં ચાંદું પાડે અને પછી ચૂંથે. કાગડામાં એ કુટેવ છે. એ લોકના વિરોધ સામે જોઈને શુભ ક્રિયા અટકાવી દઈએ, તો તો હાલત કફોડી જ થાય. એ લોકો પણ ધર્મ અધિક પામે તો આપણને અધિક આનંદ, માટે ધર્મ પામવાની અભિલાષાવાળા દેખાય તો પમાડવામાં કમી ન રાખવી, પણ જિનાજ્ઞાને વળગી રહેવું જોઈએ. જો ધર્મોપદેશક પણ ખોટે માર્ગે તણાય, તો તેને માટે પણ ખાડા તૈયાર છે : એ પણ સામા પર દ્વેષબુદ્ધિ કરે, તો એના માટે પણ મોટા ખાડા તૈયાર છે. માટે વસ્તુને બરાબર તપાસો અને પ્રભુમાર્ગના સેવક બની યોગ્ય પ્રયત્નો કરો તો ફળીભૂત થાઓ : ન કરો તો નાસીપાસ થાઓ : અયોગ્ય પ્રયત્ન નાશ પણ થાય. બૂરા સંસ્કારને પરિણામે
સંતાન સુસંતાન બને તો સારાં, નહિ તો વાંઝિયાપણું સારું. “દીવા પાછળ અંધારું” અને “દેવતા પાછળ કોલસા' જેવાં સંતાન સારાં નહિ, જેમ દેવ, ગુરુ અને ધર્મમાં “સુ” છે, તેમ બધી જ વસ્તુમાં “સુપણું નાંખો. એટલે સંતાનોને પણ આજ્ઞાનુસારીપણું શીખવો ને તે માટે તમે પણ આજ્ઞાનુસારી બનો. તમે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનો અને “એ માનવાનું કર્તવ્ય છે' - એવું શીખવો, તો એ સંતાન જિંદગી સુધી તમારી આજ્ઞા માનશે અને તમને પૂજશે, પણ તમે પ્રભુના પૂજારી રહેશો તો ! તમે જ વિપરીત વર્તન કરશો તો એ પણ એવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org