________________
૨૮૦
– આચારાંગસુત્રનાં વ્યાખ્યાન - ૪ ––
–
1020
છે. પછી સમ્યત્વ ટકે નહિ. તહેતુ ક્રિયામાં તન્મય બનેલા એવા થોડામાં આનંદ, પણ વિપરીત ઘણા હોય તો પણ વિપત્તિ. આ જ કારણે લોકમાં પણ કહેવત છે કે –
“પર: રવિષ્ટ: યુરો વિના”
પ્રવેશેલો પારકો વિનાશ કરે છે.' આપણે આ બધી વાતો એક જ કારણથી કરીએ છીએ કે આપણે સાવધ થવું જોઈએ અને પારકાઓને તેઓ પારકા જ હોય ત્યાં સુધી પોતામાં સમાવવાની કે રાખવાની ઇચ્છા ન જ કરવી જોઈએ.
જેઓ હદયથી પ્રભુશાસનને નથી માનતા, તેવાઓથી અલગ જ રહેવું જોઈએ અને સર્વત્ર સત્ય ધર્મ કે જે શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યો છે, તેનો જ પ્રચાર કરવો જોઈએ. કારણ કે સંસારમાં સાચી શાંતિ અને પરિણામે આત્માની મુક્તિ એ જ ધર્મના પ્રતાપે છે બીજી કોઈ જ વસ્તુના પ્રતાપે નથી. આથી જ આપણે તો એમ માનીએ છીએ કે “જેના હાથમાં ધર્મ તેના હાથમાં મોટું રાજ્ય !' ધર્મી રાજાને મળેલા રાજ્યની પણ પરવા ન હોય અને ધર્મી પ્રજાને રાજ્યનો લોભ પણ ન હોય.
શ્રી શ્રેણિક મહારાજા તથા શાલિભદ્રજીનું દૃષ્ટાંત વિચારો.
શ્રી શ્રેણિક મહારાજા શ્રી શાલિભદ્રજીને ત્યાં ગયા અને શ્રી શાલિભદ્રજીનાં પશુઓને બાંધવાનું સ્થાન જોયું, ત્યારે વિચાર્યું કે “આવું તો મારું વિલાસભુવન પણ નથી. આ પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહેલા પુણ્ય પ્રકારોમાંનો જ એક પ્રકાર છે. પણ ઇર્ષ્યા ન થઈ, આટલું જ નહિ પણ ઊલટું “આવા શ્રીમાનો મારા રાજ્યમાં વસે, એ મારા રાજ્યની શોભા છે.' - એમ જ થયું. વળી જ્યારે રાજાએ રત્નકંબલ મંગાવી, ત્યારે શ્રી શાલિભદ્રજીની માતાએ કહ્યું છે કે “આ બધું આપનું છે અને અમે પણ આપનાં છીએ.' એ રાજા અને એ પ્રજા, બેય આનંદ ભોગવતાં. આજ તો એક નીકળે તેને પહેરો અને તમારે હાય બાપ ! ધર્મ રાજાને પ્રજાનો કે પ્રજાને રાજાનો ભય નથી હોતો. માટે બધી જ બાબતોમાં તમે સમ્યપણું લાવતાં શીખો. બધે “સુ” ભેળવો. “કુથી જરા પણ મૂંઝાઓ નહિ. “હુંથી કે “'માં મૂંઝાયા તો સમ્યક્ત ગયું જ સમજજો. યોગ્ય સ્થાનમાં એવા સ્થિર રહો કે કોઈ ચસાવે નહિ. શ્રાવક તરીકે બહાર આવો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org