________________
1019
–– ૧૭ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 ––
૨૭૯
સોય દોરો ચલાવે તો? કપડા પહેરવા જોણું બનાવવું હોય તો દરજીએ પહેલી કાતર ચલાવવી જોઈએ તેમજ જનતાને સન્માર્ગે વાળવા માટે કુમાર્ગને ખોદવા કોશ, કોદાળી અને પાવડો, દાડીઆ સાથે જોઈએ અને ખોદવાનું કામ ખૂબ ખૂબ કરવું જોઈએ. કુમાર્ગ ઊડ્યો, એટલે સુમાર્ગની વાસના આપોઆપ જાગ્રત થાય : પછી સુમાર્ગે સ્થાપવામાં વાંધો ન આવે. ખેડૂતને મહેનત જમીન ખોદવામાં છે પણ બીજ વાવવામાં તેવી મહેનત નથી. બીજ વાવવાનું કામ તો થોડા વખતનું : બીજ વાવવા જોગી જમીન બનાવવામાં જ ખરી મહેનત છે. સો વીઘા જમીનમાંથી ભલે પાંચ વીઘાં જમીન એવી બને, પણ એ પાંચ વીઘાં જમીન જે કામ આપે તે કામ સો વીઘાં ન આપે. રસાળ ભૂમિ આપણી અને ઉખર ભૂમિ પારકી. કોઈ કહે કે “બસ, બધી ભૂમિ મારી, માટે બધે જ બી વાવું' - તો ડાહ્યો આદમી કહે કે “ગમાર ! રહેવા દે, બી તો જશે પણ મરકી ફેલાશે અને રાજ્ય જાણશે તો ગુનેગાર ગણશે.” આ જ રીતે અહીં પણ સમજવું ઘટે.
આખી દુનિયા પ્રભુનો માર્ગ પામે, એના જેવો આનંદ પણ બીજો કયો? બધા જ ધર્મ પામો' –એ જયાં ભાવના હોય, ત્યાં પોતાના જ, એટલે જેનશાસનમાં ગણાતા શ્રાવકો પણ ધર્મ ન પામે, એવી ભાવના કયા પાપાત્માને હોય ? એવું ઇચ્છે, એ તો ખરે જ ભયંકર પાપાત્મા છે.
આથી જ આખી દ્વાદશાંગીમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાના અશુભ વ્યાપારરૂપ યોગનું પણ ખૂબ ખૂબ વર્ણન કર્યું છે, કેમ કે મેલ કાઢવાની પ્રથમ જરૂર છે; અને પછી તો સાબુ થોડો હોય તો પણ ચાલે. મેલ જાય એટલે ધોળાશ સહેલાઈથી આવે. ઘણા મેલા કપડાને પ્રથમ ખારમાં - ઉકાળવું પડે, તે પછી ડફણું લઈને ફૂટવું પણ પડે, ત્યારે મેલ જાય તેમ અહીં પણ મિથ્યાત્વ કાઢવામાં મહેનત ઓછી નથી. આથી સ્વપરના હિતેષીને લાખો ગણા વિરોધની પણ સત્ય માટે પરવા ન હોય. તાકાતવાળો આત્મા ત્યાં પણ જોરશોરથી સત્યનું જ સમર્થન કરે. અને એ નિંદા નથી જ, પરંતુ સન્માર્ગની – સત્યની સેવા છે. લોકવિરોધથી ડરો નહિ!
હવે અહીં આવનારા એટલે ક્રિયાદિ કરનારાઓની ક્રિયામાંથી મિથ્યાત્વ કાઢવાનો મુદ્દો ચાલે છે. એ પણ ક્રિયામાં પૌદ્ગલિક સંયોગો માગે તેનું શું ? પૌદ્ગલિક લાલસાથી અમૃત જેવી ક્રિયા પણ વિષ, ગરલ કે ગાડરિયા થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org