SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો રાખવાની ના નથી જ પાડી. એટલું જ નહિ, પણ સત્યની રક્ષા માટે સઘળું જ ઉચિત હોય તે કરવાનું કહ્યું છે. આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રે લોકમાં ગણાતાં વિરુદ્ધ કાર્યો કરવાની ના કહી છે, પણ લોકવિરોધથી ડરવાનું નથી કહ્યું. લોકવિરુદ્ધ કાર્યો તો શાસ્ત્રમાં ગણાવ્યાં છે અને અહીં એ કહેવાઈ પણ ગયાં છે, - માટે લોકવિરુદ્ધ અને લોકવિરોધનો ભેદ બરાબર સમજો અને પછી દરેક વસ્તુનો વિચાર કરો ! નિદા ક્યાં અને ક્યારે ? લોકવિરોધ અને લોકવિરુદ્ધ, – એ બેનો સમન્વય ન થાય અને એ બેની વચ્ચે રહેલ ભયંકર અંતરની ઓળખ ન થાય, ત્યાં સુધી એવો અજ્ઞાન આત્મા - ‘જ્યાં જ્યાં લોકોનો વિરોધ, તે તે લોકવિરુદ્ધ' – આમ માની લઈને ઊંધે રસ્તે દોરાઈ જઈ, ગુણીજનના ગુણજનક કાર્યની પણ નિંદા કરી, પોતે ડૂબવા સાથે બીજાઓને પણ ડુબાવે છે. બાકી આપણે લોકવિરુદ્ધ કાર્યો કોને કોને કહેવાય, એ વિચારી ગયા છીએ. એમાં નિંદા પણ છે. પરંતુ નિંદા અને હિતાર્થે અપાયેલ કટુ જેવો લાગતો ઉપદેશ, એ બેની આજે ભેળસેળ થાય છે. ૨૦૮ . સભા : નિંદા એટલે શું ? સામાનું ભૂંડું કરવાની બુદ્ધિએ અથવા તો એને ઉતારી પાડવાને માટે એના છતા કે અછતા દોષો કહેવા, તે નિંદા છે. પણ આપણામાં અમુક વ્યક્તિનું હિત કરવાની ભાવના છે, એ ઉન્માર્ગે જઈ રહેલ છે, ઉન્માર્ગથી એ ન ખસે તો એની હાનિ નિશ્ચિત છે, અને જો એને એના દોષો કહેવાય તો સુધરે તેમ લાગે છે અથવા તો એનાથી અંજાઈને બીજાઓ પણ ઉન્માર્ગે દોરવાતા હોય તે અટકે તેમ છે, તેવા વખતે એક કલ્યાણભાવનાથી એના દોષોનું બને તેટલી રીતે વર્ણન કરવું, એ નિંદા નથી જ. એટલું જ નહિ પણ જો સુધારનાર આત્માને બધાય સંજોગો તપાસતાં એમ લાગે કે ‘પચાસ જણ વચ્ચે કહેવાથી એ સુધરશે’ - તો તેમ કહેવામાં પણ નિંદા નથી. જો એને નિંદા કહેવાય, તો બધાં જ શાસ્ત્રો પણ કદાચ નિંદામય ગણાય. ઘણી જગ્યાએ સુદેવ અને કુદેવના વર્ણનમાં, સુદેવનું તો વર્ણન થોડું અને કુદેવનું વર્ણન ખૂબ આવે છે. કારણ કે કુદેવ ઉપરથી શ્રદ્ધા ખસેડવાની મહેનત મોટી, સુદેવના વર્ણન કરતાં કુદેવનું વર્ણન જોરશોરથી ગ્રંથકાર કરે છે, એ નિંદા નથી. Jain Education International 1018 વ્યવહારમાં વસ્ત્ર સીવનાર દરજી પણ કાતર પહેલી ચલાવે છે અને તે પછી સોય દોરો ચલાવે છે. એટલે કે વેતર્યા બાદ સીવે છે. તે આખા તાકામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy