________________
૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66
જિતશત્રુ' રાજાના જમાઈ ‘દંડક’ નામના રાજાનો પ્રધાન ‘પાલક’ ત્યાં આવેલો હતો અને તે દુર્બુદ્ધિવાળો હતો, તેથી તે શ્રી અરિહંત પરમાત્માના ધર્મને દૂષિત કરવા લાગ્યો. પ્રભુના સત્ય ધર્મને દૂષિત કરતા મિથ્યાર્દષ્ટિ અને દુરાશયવાળા તે પાલકને સ્કંદકુમારે સત્યસંવાદપૂર્વક યુક્તિથી નિરુત્તર કર્યો. તે જ કારણથી વિરુદ્ધ થયેલા તે પાલકે દીક્ષિત થઈ, સૂરિ બની, પાંચસોના પરિવાર સાથે આવેલા તે પુણ્યાત્મા સ્કંદકાચાર્ય ઉપર ઘોર ઉપસર્ગ કર્યો; એટલે કે એ સૂરિજી સાથે બધાય મુનિવરોને યંત્રમાં નાખીને પીલી નાખ્યા.
1017
વિચારો કે સત્યના વિરોધીઓની દશા કેવી હોય છે અને સત્યમાર્ગના પ્રેમીની પણ દશા કેવી હોય છે ? રાજકુમાર જેવા પણ સત્યના વિરોધીઓને સત્યનો વિરોધ કરવા નહોતા દેતા અને અસત્યના ખંડનથી આવી પડતી આપત્તિઓને સહવા માટે સજ્જ રહેતા : જ્યારે ધર્મી ગણાતા ગૃહસ્થો પણ અસત્યના ખંડનને પોતાની ફરજ સમજતા, તો પછી આજના નામાંકિત ગણાતા આચાર્ય પણ પોતાની સ્પષ્ટ ફરજ નથી સમજતા એનો હેતુ શો છે, એ વિચારો ! એ વિચારતાં સમજી શકશો કે બીજો કોઈ જ હેતુ સંભવિત લાગતો નથી, પણ એક જ હેતુ સંભવિત લાગે છે કે ‘સહુમાં સારા કહેવરાવવું છે !' આવા તુચ્છ હેતુની ખાતર શાસનના વિરોધીઓની પીઠ થાબડવી, એના જેવો ભયંકર ગુનો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બીજો એક પણ નથી. સમર્થ આચાર્ય તરીકે પૂજાએલા અને પૂજાતાઓ જ શાસનના આવા ભયંકર સમયે પણ કામ ન લાગે, તો પછી શાસનના અનુયાયીઓને હૃદયમાં સહેજ રીતે પ્રશ્ન ઊઠે જ કે ‘તેઓનું આપણે કામ પણ શું છે ?' અને ઉત્તરરૂપે તેમનું અંતર પોકારે કે ‘કશું જ નહિ'. આથી જ આજે વિરોધ વધતો જાય છે. જો દરેક વ્યક્તિ જે પ્રભુશાસનને પામીને ઉચ્ચપદારૂઢ થયેલ છે, તે પ્રભુશાસનની વફાદારીના પાલનમાં પોતે અને પોતાનું સર્વસ્વ પણ ફના કરતાં શીખે, તો આજની પરિસ્થિતિ સહેજે પલટો લે તેમ છે, તેમજ સ્વેચ્છાચારીઓની ભયંકર ઉદ્દંડતા સહેજે શમે તેમ છે.
66.
કોઈ ડાહ્યા ગણાતો શ્રી સ્કંદકસૂરિજી મહારાજા જેવા માટે એમ બોલી ઊઠે કે ‘પૂર્વાવસ્થામાં એવું ખંડન ન કર્યું હોત, તો ઇર્ષ્યા ન થાત અને તો યંત્રમાં પીલાવાનો પ્રસંગ પણ ન આવત' - તો શું એ વાજબી છે ? નહિ જ, કારણ કે બીજા હજારો જીવો ઉન્માર્ગે જાય તેઓનું શું ? આથી શાસ્ત્ર તો લોકવિરુદ્ધ કાર્યો કરવાની ના પાડી છે, પણ અજ્ઞાન લોકોના વિરોધથી સત્યને સાચવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org