SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ જો મહાત્માઓ એવી કોઈના રોષની જ ભીતિમાં પડી જાય અને સત્ય ન કહે, તો અનેક પુણ્યવાન આત્માઓ સત્યથી વંચિત રહે અને કંક આત્માઓ ઉન્માર્ગે ઢળી પડે તથા જો એમ બને તો તો ભયંકર પાપ થાય, માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજા ફરમાવે છે કે “રોષ વહોરીને પણ હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી ?' કારણ કે કેવળ ઉપકારબુદ્ધિથી હિતકર કહેનાર આત્માને એકાંતે લાભ જ છે. બાકી તો એવો કોઈ કાળ જ નથી અને ન હતો કે સત્યનો વિરોધ કરનાર હયાત જ ન હોય : સાક્ષાત શ્રી તીર્થંકરદેવ, એક ક્ષણમાં સઘળાના સઘળા સંશય એકીસાથે છેડી શકે એવા છતાં અને જેની વાણી એકસરખી છતાં દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે એવી છતાં, સર્વજ્ઞ ને સર્વદર્શી છતાં, ખુદ પોતે ઉપદેશક છતાં, એવા પણ પ્રબળ મોહથી વીંટળાયેલા ઘણા જીવો હતા, કે જે પ્રતિપક્ષમાં ઊભા રહેતા. પોતે વીતરાગ છે : એમને કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નથી : ગણધર ભગવાન જેવાને પણ શ્રાવકના નામે ઉપદેશ દેતા કે “સંસારના કીચડમાં પડેલા છતાં આનંદાદિ શ્રાવક આવા અડગ છે, તો તમે તો મુનિ:તમારી અડગતા વધારે જોઈએ.” શુભ ગુણની પ્રશંસા, એ વીતરાગ પ્રભુ પોતે કરતા સમવસરણ વચ્ચે સમ્યકત્વ માટે સતી સુલસાની પ્રશંસા ભગવાને પોતે કરી છે તેમ આનંદકામદેવની પણ સમવસરણ વચ્ચે પ્રશંસા કરી છે. કોઈ પણ પ્રાણીના ભૂંડાની તો ઇચ્છા જ નહિ. એ જીવદળ જ એવું કે પહેલેથી એ આત્માને એવી ભાવના થાય જ નહિ; એવા પ્રભુના પણ વિરોધી હતા અને એમનું પણ ખરાબ કરવા ઇચ્છનારા હતા, તો પછી બીજાની તો વાત જ શી ? સત્યનો વિરોધ કરનારા તો સદાય હોય છે જ, માટે એથી મૂંઝાવાને કશું કારણ નથી. એવાઓની સાથે કદી જ સમાધાન થયાં નથી અને થાય પણ નહિ? કારણ કે સત્યના જ વિરોધી સાથે સમાધાન શાનું ? સત્યનો વિરોધ અને સમાધાની, એ બેનો મેળ જ નથી. ખરેખર, જ્યાં સત્યનો જ વિરોધ હોય છે, ત્યાં સમાધાનનો સંભવ જ નથી. કારણ કે ત્યાં તો સત્યને સમજાવનાર તરફ પણ વિરોધ જ છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રી સ્કંદસૂરિજી મહારાજાનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. શ્રી કુંદકસૂરિજી ગૃહસ્થાવાસમાં “કંદક' નામના રાજપુત્ર હતા. તેમના પિતા “શ્રી જિતશત્રુ' નામના રાજા, એક દિવસ શ્રી અરિહંતદેવના ધર્મની ગોષ્ઠિમાં રત હતા. રાજકુમાર શ્રી સ્કંદક પણ ત્યાં હાજર હતા. તે વખતે “શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy