SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 1015 –-- ૧૭ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 - ૨૭૫ બાકી ગમે તે રીતે કરવામાં આવેલું સમાધાન, ચાર દિવસથી અધિક ટકે નહિ અને તો પછી તોડવું કોને પડે ? પેલાને તો વાંધો જ શો હતો? હતુંય શું ને ગયુંય શું? એ તો જ્યારે શ્રી જિનાગમ વિરુદ્ધ બોલતાંય ન ગભરાય, તો સમાધાનનો ભંગ કરતાંય શાનો ગભરાય ? બાકી આ વસ્તુ જ એવી છે કે હૃદયપલટો જ એનું સમાધાન લાવી શકે. નહિતર સમાધાન થયા બાદ એની એવી જ પ્રવૃત્તિ કાયમ રહે, તો પરિણામે સત્યના પૂજારીને જ એ સમાધાન તોડવું તો પડે જ અને તે વખતે એના માથે એ જ આરોપ આવે કે “ધંધો જ એ છે'. આ તો બીજા પણ માને કે “તૂટ્યું છે તે સંધાતું નથી, માટે કાંઈક કારણ હોવું જોઈએ.' આથી જો તૂટેલાને ગેરરીતે જોડાય, તો કાળ ફરી તોડ્યા વિના છૂટકો થવાનો જ નથી અને સુરીતે જોડવાની વાત તો એકથી અનેક વાર કહેવાઈ જ ગઈ છે. બાકી જે લોકો ધર્મની મર્યાદાથી અને અનુષ્ઠાનોથી જ ઊભગ્યા છે અને વર્તમાન વાયુની જેમને પૂરી અસર થઈ છે, તથા એથી આ બધી વસ્તુઓ જેમને હંબગ રૂપ લાગે છે, તેમજ “મંદિર અને ઉપાશ્રયની જરૂર શી?' - એમ પણ કહેનારા છે, એમ તો આ પ્રશ્નકાર ભાઈ પણ એક વખત કહેતા હતા અને કહે છે, તો હવે કહો ને બતાવો કે એવાઓની સાથે સમાધાનનો ઉપાય જ શો ? ચાલો આગળ. વીતરાગ તો નથી બોલતાને ? તો પછી ભગવાનની સાથે પણ ધમાધમ કેમ ? સભા: પણ આજે ભગવાન ચૂપ બેઠા છે તેમાં માને છે, જો એ બોલતા હોત તો એમને પણ માને તેમ નથી. તો હવે કહો કે જેઓ ભગવાનની સામે પણ એલફેલ બોલવા તૈયાર થયા, તેઓને માટે રસ્તો શો ? એક જ રસ્તો છે કે શુદ્ધ હૃદયથી સત્ય બતાવવું કે જેથી ભાગ્યવાન આત્માઓ એ માર્ગે વળે. શ્રી વીતરાગ પરમાત્મા તો સર્વજ્ઞ હતા, દરેક આત્માનું સ્વરૂપ સમજતા હતા અને જાણતા હતા કે અમુક આત્મા તો સુધરવાનો જ નથી, છતાં એનું સ્વરૂપ સમજાવ્યા વિના બીજા પણ ડૂબે તેમ છે, તો તે ઉધમતિયા-ઉત્પાતિયાના નિરર્થક વિરોધો સહીને પણ, ભવ્ય જીવોને ભગવાને ચેતવ્યા. ચેતવતી વખતે ભગવાનને ખબર હતી કે આટલો આટલો ઉત્પાત થશે, સામાને વિરોધ થશે, ગુસ્સો આવશે અને અમુક તોફાન કરશે, છતાં કહ્યું : વીતરાગ હતા છતાંય કહેવાજોગું કહ્યા વિના ન રહ્યા. અન્યો માટે પણ શાંતિના સાગર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા તો ફરમાવે છે કે “પા રુસવા તુસરવા, દિયા મા મસિયા !” સામો રોષ પામો યા તોષ, પરંતુ હિતકારી ભાષા અવશ્ય બોલવી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy