SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- 1010 તો આ શાસન જ એવું છે કે સમાધાન ઇચ્છનારા સહેજે સમાધાન કરી શકે ? કારણ કે દરેકની ઉપર જિનાજ્ઞાનો અંકુશ તો રહેલો જ છે. આજે જો બધા જ એમ કબૂલ કરી લે કે પંચાંગી સહિત જિનાગમાં અમને શિરસાવંદ્ય છે અને એ રીતની કબૂલાત પછી, જો દરેક વસ્તુને શ્રી જિનાજ્ઞાની કસોટીએ કસાય, તો સહેજે શાંતિ સ્થપાય. પરંતુ આજે તો દશા એ છે કે એમની સ્વેચ્છાભરી વાણીને શ્રી જિનાગમનો અંકુશ પરવડતો નથી : ઉસૂત્રકથનને સુસૂત્ર મનાવવું છે ? અને એના ઉપર સમાજપ્રીતિ ને સમાજોન્નતિના ઓપ ચડાવવા છે, પરંતુ વિચારતાં તમને ખ્યાલ આવશે કે પુણ્યાત્માઓના સદ્ભાગ્યે એ મોહક ઓપ નીચે છૂપેલી ભયંકરતા ખુલ્લી પડી જવા પામી છે અને એથી અનેક આત્મકલ્યાણના અભિલાષી આત્માઓ પોતાના આત્મહિતનું સંરક્ષણ કરી શક્યા છે. છતાં શ્રાવકપણાની ભાવના ને સંસ્કારથી અજાણ ને રહિત શ્રાવકો, હજુ વ્યક્તિમોહના પ્રતાપે એવાઓનાં હથિયાર બની રહેલ છે અને આજના ઝઘડાની જડ તો ત્યાં છે. જો આ ગેરસમજ દૂર થાય તો સમાધાન કયાં છેટું છે ? ક્યાં લેવા જવું પડે તેમ છે ? આજે એવાઓને સમાધાનની વાતો કરવી પડે છે, તેનું કારણ પણ સ્પષ્ટ જ છે કે એમનું આંતસ્વરૂપ ભેદી આડ ચીરી ડોકિયાં કરી રહ્યું છે અને એના પ્રતાપે આવી વાતોનો આશ્રય શોધવો પડે છે : છતાં તમે જો તમારાપણું કેળવી લો, સાચા શ્રાવક બની જાવ, સંસારરાગને સ્થાને સંયમરાગને મહત્તા આપતાં શીખો અને પ્રભુપ્રવચનની પ્રત્યેક આશાના પાલનની તમન્ના જાગે, પાલન ન થાય તો પણ વિચાર ને વાણીમાં જો એની તન્મયતા આવી જાય, તો પછી આવા પ્રશ્નોને માટે લેશ પણ અવકાશ નથી જ રહેતો. તમે સમાધાન ને શાંતિને નામે મૂંઝાઓ નહિ. સમાધાન ને શાંતિના જાપ કરનારાઓને કહો કે પૂછો કે “તમને પંચાગી સહિત શ્રી જિનાગમો માન્ય છે ? તેમાંની પ્રત્યેક આશા સ્વીકારવા તૈયાર છો ?” અને તમે એમ પણ પૂછો કે “અત્યારના દરેક વિચારભેદનો અંત શ્રી જિનાજ્ઞાને શરણે રહી લાવવો કબૂલ છે?” જો તેઓ “હા' કહે તો અને એ કહેલી ‘હા’ જો સાચી જ હોય, તો હું તમને કહું છું કે સમાધાન તો હથેલીમાં પડ્યું છે. ખરો વિરોધ તો ઉસૂત્રપ્રરૂપણાનો છે, પરંતુ એ વાતને છુપાવનારાઓ બીજી બીજી ભળતી વાતને ભેળવી, સમાજને ભરમાવે છે. જૈનશાસનના સેવકને, સાધુની કે શ્રાવકની સમાધિની ને શાંતિની આતુરતા હોય જ અને ઉપરની શરતોએ આપણે સદેવ સર્વથા સમાધાન કરવા તૈયાર જ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy